Gujarat : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના બની હતી, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પ્રવેશી ગયો હતો.
રાજુલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વનરાજાના પરીવારે રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ વનવિભાગની ટીમ પણ આ સિંહ અને તેના પરીવારને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે સક્રિય થઈ છે.
ઉલ્લેખીય છે કે, આ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ સહિત અનેક વન્ય હિંસક પ્રજાતિ દેખા દેતી હોય છે. તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા સક્રિયતા દાખવી અને લોકોને નુકસાન ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો…
- Ishan kishan: ઇશાન કિશન ભૂતકાળની નબળાઈને એક મોટી તાકાતમાં ફેરવે છે, જેનાથી ODI વર્લ્ડ કપ માટેનો તેમનો દાવો મજબૂત બને
- Jharkhand: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીના ચોંકાવનારા પરિણામો બાદ કોંગ્રેસે પૈસાના ઉપયોગનો આરોપ લગાવ્યો; ભાજપે વળતો પ્રહાર કર્યો
- obama: ટ્રમ્પના નવા ઈરાન કરારની સરખામણી ઓબામા યુગના પરમાણુ કરાર સાથે; રાજકીય ચર્ચા શરૂ થઈ
- Amazon: શું AI નોકરીઓ છીનવી લેશે? જેફ બેઝોસ કહે છે કે ભવિષ્યમાં કામ ખરેખર વધી શકે છે
- JD vance: અમેરિકા-ઈરાન કરાર એક મહત્વપૂર્ણ તબક્કામાં: જેડી વાન્સે 60 દિવસની સમીક્ષા અવધિની જાહેરાત કરી




