BJP નેતાએ ભીલાડ અંડરપાસનું તાકીદે પૂર્ણ કરવા માંગણી કરી છે. વાપીમાં ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસનું કામ લાંબા સમયથી અધૂરું હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દૈનિક હજારો વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે, જેમાં સેલવાસ, વાપી અને સરિગામ જીઆઈડીસી જતાં કામદારો તેમજ હોસ્પિટલમાં જતાં દર્દીઓ પણ સામેલ છે. અંડરપાસ બંદ રહેવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે.
ઉમરગામ તાલુકા BJP પ્રમુખ ડૉ. નિરવ શાહે આ મુદ્દે વલસાડ જિલ્લા યુવા સાંસદ ધવલ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. ભીલાડ રેલવે અંડરપાસનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

રજુઆત મળ્યા બાદ BJP સાંસદ ધવલ પટેલે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ મેનેજર સાથે મુલાકાત કરી અને ભીલાડ અંડરપાસના અધૂરા કામ અંગે તાકીદે કાર્યવાહી કરવા કહ્યું. રેલવે અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરી કામગીરી વહેલી તકે પૂરી કરવાની ખાતરી આપી છે.
BJP પ્રમુખ ડૉ. નિરવ શાહે જણાવ્યું કે સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી રેલવે અધિકારીઓએ ચોમાસા પહેલા કામ પૂરૂં કરવા માટે વચન આપ્યું છે. આ અંગે ભાજપ સંગઠન સતત કાર્યશીલ છે, જેથી ઉમરગામના રહેવાસીઓને પડતી મુશ્કેલીમાંથી વહેલું મુક્તિ મળી શકે.
આ પણ વાંચો..
- Ahmedabad: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ, દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવા માટે BEMLને રૂ. 5,400 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ મળ્યો
- Ahmedabad: છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો, એક ગેંગસ્ટરે પ્રોપર્ટી કાર્ડ બનાવવાના નામે એક વ્યક્તિ પાસેથી 12 લાખની કરી છેતરપિંડી
- Madhya Pradesh: ભયાનક અકસ્માતમાં આઠ લોકોના મોત, જ્યારે યાત્રાળુઓને લઈ જતી એક કાર વરસાદી પાણીમાં તણાઈ ગઈ
- pm modi: પર્યાવરણ સંરક્ષણમાં ભારતની નોંધપાત્ર પહેલ: વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત વિશ્વને માર્ગ બતાવી રહ્યું છે; હાઇડ્રોજન ટ્રેનોનો ઉલ્લેખ કર્યો
- Rain alert: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર




