રાજયમાં નાની ઉંમરનાં લોકોમાં heart attackના હુમલાનું પ્રમાણી વધી રહ્યું છે. આ વચ્ચે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલ વીજાપુર વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા ૧૨ વર્ષનાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતાં વાલીઓમાં શોક સાથે ચિંતાની લાગણી પ્રસરી છે. આ છાત્રન` અચાનક ચક્કર આવતા લાગતા અને છાતીમાં દુઃખાવો થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

heart attack: છાતીમાં દુઃખાવો થતા ઉપલેટા ખાતે સારવાર માટે લઈ જતા હતા તે વેળાએ રસ્તામાં જ મૃત્યું

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુાકના સરદારનગરમાં રહેતા નરેન્દ્રભાઈ પોપટભાઈ કનેરીયાનો પુત્ર હેત સીદસર ગામમાં વીજાપુર વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતો હતો. દરમિયાન સવારના તેને અચાનક ચક્કર આવતા લાગતા અને છાતીમાં દુઃખાવો થતા તેને સારવાર માટે ઉપલેટા લઈ જવામાં આવેલ પરંતુ તેને સારવાર ર મળે તે પૂર્વે જ તેનું મૃત્યું નિપજયું હતું. અને માત્ર ૧૨ જવર્ષની ઉંમરમાં જ પુત્રનું heart attackથી મોત થતાં પરિવાર પર આભા તૂટી પડયા જેવી સ્થિતિ સર્જાઈ છે.