Gujarat : વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે.
વાપીના છીરી ખાતે વડિયાવાડમાં રહેતી 14 વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી. બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી સગીરાએ કયા કારણસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે. હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે.
સમાજને ઝંઝોળી નાખતી આ ઘટના પાછળનાં કારણો જાણવા પોલીસ જે રીતે તપાસમાં લાગી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જેમાં મહત્વની બાબતો સામે આવી શકે છે, તો પોલીસે સગીરા સાથે સંકલાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો..
- UPSC પ્રતિભા સેતુ શું છે, કોને અને કેવી રીતે લાભ મળશે? આ યોજના સંબંધિત તમારા બધા પ્રશ્નોના જવાબ જાણો
- Britain: પેલેસ્ટાઇન સમર્થકો બ્રિટનના એરબેઝમાં ઘૂસી ગયા, બે વિમાનોને નુકસાન પહોંચાડ્યું; આરોપીઓની શોધ ચાલુ છે
- Tesla: ભારતમાં ટેસ્લાની રાહ પૂરી થઈ, ચીની કાર સાથે પ્રવેશ કરશે, અહીં પહેલો શોરૂમ ખુલશે
- Salman khan: 59 વર્ષની ઉંમરે લશ્કરી અધિકારી બનશે, આ રીતે કરી રહ્યો છે આગામી ફિલ્મ માટે તૈયારી
- Jaiswal: યશસ્વી જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં સદી ફટકારી, ઘણા રેકોર્ડ તોડ્યા