Ahmedabad : થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશમાં મહાકુંભ યોજાયો હતો, જે કુંભનાં મેળામાં સ્નાન કરવા માટે દેશભરમાં કરોડો શ્રધ્ધાળુઓ પહોંચ્યા હતા, તે કુંભના મેળામાં ભારતીય સિવાય વિદેશનાં પણ અનેક નાગરિકો પહોંચ્યા હતા, તેવામાં આવા જ એક વિદેશી નાગરિકને અમદાવાદનાં એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો છે.
રોમાનીયા દેશનો આ નાગરિક ભારતમાં કુંભનાં મેળામાં આવ્યો અને પરત જવાની સમયમર્યાદામાં પરત ન જઈ શક્યો, જેથી તેણે પોતાનાં દેશમાં પરત ફરવા માટે પોતાની સામાન્ય બુદ્ધીનો ઉપયોગ કર્યો અને વિઝામાં ચેડા કર્યા અને પકડાઈ ગયો.
અમદાવાદ શહેર એસઓજીએ ડ્રેગોમીર મિહાઈ ગાડ્રીએલ નામનાં રોમાનિયા દેશના નાગરીકની ધરપકડ કરી છે, પોતાનાં વિઝામાં ચેડા કરવાનાં ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે, અમદાવાદ એરપોર્ટ પરથી ઈમિગ્રેશન વિભાગે તેને પકડી પાડ્યો છે.
મંગળવારે રાતનાં સમયે ઈમિગ્રેશન અધિકારી મુસાફરોનાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી રહ્યા હતા, જે દરમિયાન આ શખ્સ ત્યાં પહોંચતા ઈમિગ્રેશન અધિકારીએ સિસ્ટમમાં તેનાં વિઝા અંગે ચેક કરતા તેનાં વિઝા 19મી મેનાં રોજ પૂર્ણ થઈ ગયા હતા,
જોકે તે જે કાગળ લઈને આવ્યો હતો તેમાં 19મી મેનાં બદલે 29મી મે તેનાં વિઝા પૂર્ણ થવાની છેલ્લી તારીખ હોવાનું જોવા મળતા તેની તપાસ કરતા તેણે વિઝામાં ચેડા કર્યા હોવાનું જણાતા આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ એસઓજીનો સોંપી હતી.
આ મામલે એસઓજીએ આ શખ્સની પુછપરછ કરતા સામે આવ્યું તેણે ભારતમાં ફરવા માટે 5 વર્ષનાં વિઝા મેળવ્યા હતા, પરંતુ નિયમ મુજબ તેને 90 દિવસ ભારતમાં રોકાયા બાદ રોમાનિયા પરત ફરવાનું હોય છે અને બાદમાં તે ત્યાં જઈ પરત ભારતમાં આવી શકે છે. થોડા સમય પહેલા ભારતનાં ઉત્તરપ્રદેશમાં યોજાયેલા મહાકુંભમાં ફરવા માટે આ શખ્સ ભારત આવ્યો હતો અને બાદમાં ગોવા,
ઉત્તરાખંડ સહિતનાં અલગ અલગ સ્થળોએ ફર્યો હતો. જોકે તેના વિઝા પૂર્ણ થઈ જતા તેણે વિઝા એક્સટેન્ડ માટે મનોજ જોશી નામનાં દિલ્હીનાં એક શખ્સનો સંપર્ક કર્યો હતો, જેણે આ શખ્સને 19મી મે સુધીનાં વિઝા કરી આપ્યા હતા, પરંતુ તેને આ વિઝા સમયસર ન મળતા તે પરત જવાનું ચુકી ગયો હતો, જેથી તેણે વિઝા પૂર્ણ થવાની તારીખમાં પોતાનાં ફોનમાં ફેરફાર કરી નાખ્યો હતો.
પકડાયેલા શખ્સની તપાસમાં એ પણ સામે આવ્યું કે તે રોમાનિયામાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે, અગાઉ પણ ભારતમા આવી ચુક્યો છે, તેવામાં આ શખ્સ અત્યાર સુધીમાં ભારતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો અને તેનો ઉદ્દેશ્ય માત્ર ફરવાનો હતો કે અન્ય કોઈ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી તેની તપાસમાં કેવા ખુલાસા થાય છે તે તો આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો..
- bangladesh: શું બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન રાજીનામું આપશે? શેખ હસીનાના વાપસી અંગે અટકળો વધી રહી છે
- cjp: દિલ્હી પોલીસ હિંસાના ગુનેગારોની ઓળખ કરી રહી છે; શું તોફાનીઓના પાસપોર્ટ રદ કરવામાં આવશે?
- Trump: સાઉદી-અમેરિકા પરમાણુ કરારમાં ઇઝરાયલનો પ્રવેશ: ટ્રમ્પે કઈ નવી શરતો મૂકી?
- MEA: ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ: વિદેશ મંત્રાલય કહે છે – કાશ્મીર મુદ્દા પર બડબડ કરવાનું બંધ કરો; સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે
- salman khan: સલમાન વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાની અપીલ કરે છે; સોનમ વાંગચુકને પૂછે છે, “શું હું ઘરે બનાવેલો ખોરાક મોકલીશ?”




