Gujarat : વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે.
વાપીના છીરી ખાતે વડિયાવાડમાં રહેતી 14 વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી. બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી સગીરાએ કયા કારણસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે. હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે.
સમાજને ઝંઝોળી નાખતી આ ઘટના પાછળનાં કારણો જાણવા પોલીસ જે રીતે તપાસમાં લાગી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જેમાં મહત્વની બાબતો સામે આવી શકે છે, તો પોલીસે સગીરા સાથે સંકલાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો..
- Russia: VPN વાપરનારાઓ મુશ્કેલીમાં છે…. રશિયન સરકારનો નવો હુકમ, પ્રતિબંધિત સામગ્રી જોવા બદલ આ સજા આપવામાં આવશે
- Asia cup 2025: ભારત-પાકિસ્તાન ગ્રુપમાં આ 2 ટીમો, ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ જુઓ
- China: બેઇજિંગમાં પાણી ભરાયા! 24 કલાકમાં વર્ષભરનો વરસાદ, પુલ તૂટ્યા, રસ્તા ડૂબી ગયા, હજારો લોકો બેઘર
- Mumbai: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બેકાબૂ ટ્રેલરે 20 વાહનોને ટક્કર મારી; 4 લોકોના મોત
- Saif Ali khan: સૈફ અલી ખાન કેસમાં આરોપીઓ સામે પોલીસ પાસે મજબૂત પુરાવા છે, જામીનનો વિરોધ કર્યો