Gujarat : વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે.
વાપીના છીરી ખાતે વડિયાવાડમાં રહેતી 14 વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી. બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી સગીરાએ કયા કારણસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે. હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે.
સમાજને ઝંઝોળી નાખતી આ ઘટના પાછળનાં કારણો જાણવા પોલીસ જે રીતે તપાસમાં લાગી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જેમાં મહત્વની બાબતો સામે આવી શકે છે, તો પોલીસે સગીરા સાથે સંકલાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો..
- Horoscope: કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો ફક્ત એક ક્લિક પર
- Hamas સંકટ સતત ચાલુ છે, જેમાં તુર્કીના એક જૂથ ડગ્માસે ગાઝામાં આઠ લડવૈયાઓને મારી નાખ્યા છે
- Brahmaputra: બ્રહ્મપુત્ર નદી પર ચીનના બંધના જવાબમાં ભારતનો ₹6.4 લાખ કરોડનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ
- China: ચીની કમ્યુનિસ્ટ પાર્ટીમાં ટોચથી નીચે સુધી ફેરબદલ થઈ રહ્યો છે, જેમાં નવ સેન્ટ્રલ કમિટી સભ્યોને દૂર કરવામાં આવ્યા
- Lalu Yadav: મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી હજુ સુધી નક્કી થઈ નથી, જ્યારે લાલુ યાદવે 14 નેતાઓને RJD પ્રતીકોનું વિતરણ કર્યું