Adani ગ્રુપ દેશમાં વ્યાવસાયિક ગોલ્ફની સર્વોચ્ચ સંસ્થા, PGTI સાથે સહયોગમાં ‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025’નું આયોજન કર્યુ છે. જે આયોજન થકી Adani ગ્રુપે ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયારી કરી લીધી છે.
ચેમ્પિયનશિપની શરૂઆતની ટુર્નામેન્ટ 1 થી 4 એપ્રિલ દરમિયાન ગ્રેટર નોઈડાના જેપી ગ્રીન્સ ગોલ્ફ અને સ્પા રિસોર્ટ ખાતે યોજાશે. તેની ઈનામી રકમ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

Adani ગ્રુપે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ઉદ્દેશ્ય ગોલ્ફની સુલભતાને પ્રોત્સાહન આપવાનો અને મુખ્ય પ્રવાહની રમત તરીકે તેની સ્થિતિ સુધારવાનો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “અમે કપિલ દેવ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (PGTI) સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છીએ. જેથી ભારતીય પ્રોફેશનલ ગોલ્ફના વિકાસમાં યોગદાન આપી શકાય. અમારો ઉદ્દેશ્ય ભારતમાં ગોલ્ફમાં વિશ્વ ચેમ્પિયન બનાવવાનો છે.”
આ પ્રસંગે બોલતા, PGTIના ચેરમેન અને દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના સમર્થનથી પ્રોફેશનલ ગોલ્ફ ટૂરને ભારતમાંથી ચેમ્પિયન ગોલ્ફરો બનાવવામાં મદદ મળશે જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવશે.
આ પણ વાંચો..
- ‘cocktail 2’ રિલીઝ પહેલા કૃતિ સેનન તિરુમાલા મંદિરમાં આશીર્વાદ માંગે છે
- suryakumar yadav: સૂર્યકુમાર યાદવની T20 કેપ્ટનશીપ જોખમમાં; પસંદગીકારો ફેરફાર કરવા વિચારી રહ્યા છે
- thailand થાઈ રાજા દ્વારા શાહી માફી બાદ થાક્સિન શિનાવાત્રાને મુક્ત
- Google ગૂગલ જેમિનીને ‘વિસ્તૃત વિચારસરણી’ મોડ મળે છે – AI હવે સચોટ જવાબો આપવા માટે વધુ સમય લેશે
- monsoon: ચોમાસુ કેરળ થઈને ભારતમાં પહેલા કેમ પ્રવેશ કરે છે? વરસાદી પવનો પાછળનું વિજ્ઞાન સમજવું




