Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- TMC: બિપ્લબ-સતપાલ અને મીનાક્ષી લેખી એ જ લોકો છે જે…’, ટીએમસીએ ભાજપની ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ પર પ્રહાર કર્યા
- Ahmedabad: સારંગપુરમાં ધોળા દિવસે બાઇક સવાર પર હુમલો, વાહન કબજે કરતાં ફરિયાદ નોંધાઈ
- Iran: ઈરાનના સુન્ની નેતાઓની મુસ્લિમોને અપીલ – ઇઝરાયલ એક કેન્સર છે, આપણે શિયાઓ સાથે એક થવું પડશે
- kareena kapoor khan: કરીનાએ બોલિવૂડમાં 25 વર્ષ પૂરાં કર્યા, બેબોએ રિજેક્ટ કરી આ HIT ફિલ્મો
- Ahmedabad: જુહાપુરામાં મકાનની બાલ્કની ધરાશાયી થતાં મહિલાનું મોત