ધ્રાંગધ્રાના ચૂલી નજીક Vande Bharat ટ્રેન સાથે ભેંસ અથડાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં અને મોટી દુઘર્ટના ટળતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુનઃ રવાના થઇ હતી.

ગાય અથડાતા એન્જિન પાસે લગાવેલું પતરું નીકળી ગયુંઃ કોઈ જાનહાનિ નહીં

ગુજરાતમાં Vande Bharat ટ્રેનને ફરી અકસ્માત નડ્યા છે. ગુરૂવારે ધ્રાંગધ્રાના ચૂલી નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત | નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ગાય અથડાતા એન્જિન પાસે લગાવેલું પતરુ નીકળી ગયું હતું. જેથી કરીને ટ્રેન તેના નિયત સમય કરતા મોડી હળવદ રેલવે સ્ટેશનને પહોંચી હતી. જોકે, કોઈ મોટી નુકસાની ન હોવાના કારણે ટ્રેનને આગળ કચ્છ તરફ રવાના કરવામાં આવી હતી