Nadiad : નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા કુખ્યાત ઈસમ માસુમ મહીડાને એક વર્ષ માટે ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય તેમજ શહેર જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે.
નડિયાદ પશ્વિમ વિસ્તારમાં રહેતા માસુમ ઉર્ફે ટીનો કાળુભાઇ મહીડા (રહે. ઇડન ગાર્ડન સોસાયટી પાસે “માં” બંગ્લોઝ પીજ રોડ, નડીયાદ) સામે નડિયાદ પશ્વિમ પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી, ધાક-ધમકી, છેડતી, અપહરણ તેમજ સ્ત્રી અત્યાચાર જેવા ગુનાઓ નોધાયેલ હોય અને આરોપી લીસ્ટેડ બુટલેગર છે.
જે આધારે તેના વિરુધ્ધ ગુજરાત પોલીસ એક્ટ કલમ 56(ક) મુજબ તડીપારની દરખાસ્ત તૈયાર કરી ઉપરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નડિયાદ તરફ મોકલી આપી હતી. આ તડીપાર હેઠળની દરખાસ્ત મંજુર થઇ આવતા નડીયાદ પશ્વિમ પોલીસે આરોપી માસુમ મહીડાને તાત્કાલિક હદપારના હુકમની બજવણી કરી છે.
તેમજ મુંબઇ પોલીસ અધિનીયમ ગુજરાત પોલીસ એક્ટ કલમ 56(ક) મુજબ તા.3 જૂન, 2025થી એક વર્ષ માટે ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ શહેર જીલ્લાની હદ વિસ્તારમાંથી તડીપાર કરાયો છે.
આ પણ વાંચો..
- Horoscope: તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ જાણો ફક્ત એક ક્લિક પર
- variyali: દરરોજ ફક્ત અડધી ચમચી વરિયાળી ખાવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે
- NASA: નાસાના અભ્યાસ સૂચવે છે કે પૃથ્વીએ તેના તાત્કાલિક કોસ્મિક પડોશમાંથી જીવન માટે જરૂરી ઘટકો મેળવ્યા હશે.
- હવે અખબારમાં લપેટીને ખોરાક પીરસવામાં નહીં આવે: FSSAI એ નવી ચેતવણી જારી કરી; વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી થવાની સંભાવના
- amit shah: અમિત શાહ સાથેની અમરિંદરની મુલાકાતથી પંજાબના રાજકીય ભવિષ્ય અંગે નવી અટકળો શરૂ થઈ




