Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- BCCI વૈભવ સૂર્યવંશીના માતા-પિતાને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેની સાથે જવાની મંજૂરી આપશે
- સરકારે LPGના ભાવ વધારાનો બચાવ કર્યો; કહ્યું કે ભારતમાં વિશ્વમાં સૌથી ઓછા રાંધણ ગેસના ભાવ છે
- IDFC ફર્સ્ટ અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સંકળાયેલા ₹661 કરોડના સરકારી ભંડોળ કૌભાંડના સંદર્ભમાં CBI એ છ સ્થળોએ દરોડા પાડ્યા
- Horoscope: તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ જાણો ફક્ત એક ક્લિક પર
- variyali: દરરોજ ફક્ત અડધી ચમચી વરિયાળી ખાવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે




