Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- Corona: રોગચાળાના નિષ્ણાતના શબ્દો સાચા સાબિત થયા, સક્રિય કેસ ઘટવા લાગ્યા; પરંતુ હજુ પણ આ ધ્યાનમાં રાખો
- Indonesia: ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો, ચેતવણી જારી
- Ravi Shashtri: આ બેટ્સમેનને ત્રીજા નંબર પર રમતા જોવા માંગે છે, ટીમ કોમ્બિનેશન પર પોતાનો અભિપ્રાય આપ્યો
- Irani actress: 90 લાખ લોકો ક્યાં જશે? ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાની અભિનેત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કર્યો
- Lord Jagannath: મોટી આંખો અને અધૂરું શરીર, ભગવાન જગન્નાથની મૂર્તિ આટલી અલગ કેમ છે?