Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- અમૃતસરમાં SSOCને મોટી સફળતા, આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ
- Jayant Narlikarને વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા; આઠ વિજ્ઞાન શ્રી અને ૧૪ વિજ્ઞાન યુવા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી
- ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે થયેલી છેડતી અંગે BCCI એ નિવેદન જારી કર્યું, સુરક્ષા પ્રોટોકોલ વિશે આ કહ્યું
- Ireland: ડાબેરી પક્ષના સ્વતંત્ર ઉમેદવાર કેથરિન કોનોલી આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ બનશે, હરીફ હીથરે હાર સ્વીકારી
- SIR: આગામી સપ્તાહથી દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સંશોધન શરૂ થશે; જાણો કયા રાજ્યોનો પ્રથમ તબક્કામાં સમાવેશ





