Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- Malaysia: કંબોડિયા અને થાઈલેન્ડ યુદ્ધમાં યુએન સાથે સમાધાન કરવા માટે મુસ્લિમ દેશ આગળ આવ્યો
- Russia: VPN વાપરનારાઓ મુશ્કેલીમાં છે…. રશિયન સરકારનો નવો હુકમ, પ્રતિબંધિત સામગ્રી જોવા બદલ આ સજા આપવામાં આવશે
- Asia cup 2025: ભારત-પાકિસ્તાન ગ્રુપમાં આ 2 ટીમો, ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ જુઓ
- China: બેઇજિંગમાં પાણી ભરાયા! 24 કલાકમાં વર્ષભરનો વરસાદ, પુલ તૂટ્યા, રસ્તા ડૂબી ગયા, હજારો લોકો બેઘર
- Mumbai: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બેકાબૂ ટ્રેલરે 20 વાહનોને ટક્કર મારી; 4 લોકોના મોત