Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- 7 Dogs : આ ખતરનાક બોલિવૂડ વિલન સલમાન ખાન સાથે ધમાલ મચાવશે, ‘7 ડોગ્સ’નો ફર્સ્ટ લુક રિલીઝ
- Donald Trump એલોન મસ્કથી ખૂબ ગુસ્સે થયા, હવે તેઓ તેમની લાલ ટેસ્લાનો પણ નિકાલ કરશે
- Kaichi dham: સરકાર, અહીં ધ્યાન આપો! કૈંચી ધામમાં મનમાની ભાડાથી, ટ્રાફિક જામથી મુસાફરો પરેશાન
- Operation sindoorએ ‘ડ્રેગનનો જાદુ’ નિષ્ફળ બનાવ્યો! બ્રહ્મોસ સામે ચીની સિસ્ટમ નિષ્ફળ ગઈ, પાકિસ્તાનનો વિશ્વાસ તૂટી ગયો
- Ramayan: વિવેક ઓબેરોય અને KGF ના યશ સામસામે હશે, રણબીરની ‘રામાયણ’માં શું થવાનું છે?