Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- Abhijeet: તુર્કી સાથેના સંબંધો અંગે અભિજીતે આમિર ખાન પર પ્રહારો કર્યા, શાહરૂખ ખાન પર પણ સૂક્ષ્મ રીતે કટાક્ષ કર્યો
- Pushkar: વિશ્વનું એકમાત્ર બ્રહ્મા મંદિર, જ્યાં બ્રહ્માંડના સર્જનહાર રહે છે
- ૧૮ મે સુધી યુદ્ધવિરામ ચાલુ રહેશે… યુદ્ધવિરામ અંગે પાકિસ્તાનનું નવું નિવેદન
- Pakistan ક્રિકેટ ટીમની પસંદગી હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર કેપ્ટન સરફરાઝ અહેમદ દ્વારા પસંદગી સમિતિમાં કરવામાં આવશે!
- ISIS અમેરિકા પર હુમલો કરવાના હતા, દેશને બચાવી લેવામાં આવ્યો, FBI એ કર્યો મોટો ખુલાસો