Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને ખોરાક ઝેરીલા બની રહ્યા છે – Governor Acharya Devvrat
- Gujarat: બિંદણી, તું ફક્ત ભણ…’ સસરાના શબ્દોએ બદલ્યું જીવન, વહુને પહોંચાડી ન્યાયાધીશની ખુરશી સુધી
- નકલી દસ્તાવેજો બનાવી શહેરમાં જમાવ્યું ઠેકાણું, Ahmedabadમાં 166 બાંગ્લાદેશીઓની થઇ અટકાયત
- Patanમાં એર કન્ડીશનર ફાટતાં ભીષણ આગ, મહિલા પોલીસ કર્મીનું કરુણ મોત
- Ahmedabad પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 290 બાંગ્લાદેશી શંકાસ્પદોની ધરપકડ કરી; નાયબ મુખ્યમંત્રીએ કહ્યું…




