પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાંથી ધરપકડ કરાઈ છે. CBIની માંગણી સ્વીકાર્યા બાદ બેલ્જિયમ સરકારે ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓ સાથે સંલગ્ન રહી હતી, જેથી આ કૌભાંડમાં સંલગ્ન આરોપીનો પકડ થઈ શકે.
2018માં મેહુલ ચોક્સી ભારતથી ફરાર થયો હતો અને તેના પર પંજાબ નેશનલ બેન્કમાં આશરે 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં મેહુલ અને તેની કંપની પર નફાની હેરફેર અને ખોટનો દાવો કરવામાં આવ્યો છે.

હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોક્સીના આ કૌભાંડને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોક્સીને સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત ન કરે.
ચોકસીની ધરપકડ બાદ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, કેન્દ્રની તપાસ એજન્સીઓ બેલ્જીયમ સરકાર પાસે તેનો જાપ્તો મેળવી ભારત લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો..
- BRICS ભાગીદાર દેશો કયા છે અને તેઓ 11 સભ્ય દેશોથી કેવી રીતે અલગ છે? અહીં સંપૂર્ણ વિગત સમજો.
- Mirzapur: સિરીઝથી સિનેમા સુધી: ‘મિર્ઝાપુર’ની સફર — ગુરમીત સિંહે કેવી રીતે મોટા પડદા પર એક ભવ્ય અનુભવ રચ્યો’
- Delhi: દિલ્હીમાં યુદ્ધ સમાપ્ત કરવા અંગેની વાતચીત ચાલી રહી હતી ત્યારે યુરોપે યુક્રેનને શસ્ત્રો ખરીદવા માટે ₹67,000 કરોડ પૂરા પાડ્યા
- OpenAIનો મહત્વપૂર્ણ દાવો: શું ChatGPTએ ગણિતની સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંથી એકનો ઉકેલ શોધી કાઢ્યો છે? જાણો કેવી રીતે મળ્યો આ ઉકેલ
- pakistan: પાકિસ્તાન અને અમેરિકા દ્વારા ત્યજી દેવાયું: ગલ્ફ સંઘર્ષમાં સાઉદી અરેબિયા એકલું કેમ ફસાઈ ગયું છે?




