Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- Ahmedabad: હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય આરોપી બિલ્ડરની ધરપકડ
- Ahmedabad: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના દરવાજા ખુલ્યા, કોમનવેલ્થ ગેમ્સ 2030ની મહત્વાકાંક્ષાઓને વેગ મળ્યો
- Trump: ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીના મેયર બોઝર પર પ્રહાર કર્યા, રાષ્ટ્રીય કટોકટી લાદવાની પણ ધમકી આપી; આ આદેશથી ગુસ્સે થયા
- Gandhinagar: પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, વીડિયો વાયરલ થતાં કેસને મળ્યો નવો વળાંક
- Waqf bill: વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી શું બદલાયું? સરળ ભાષામાં સમજો