Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- ચેસની રમતમાં Gujaratએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ 17 જેટલા સુવર્ણ,રજત અને કાસ્ય પદક હાંસલ કર્યા
- આંખો બંધ કરીને 23 સેકન્ડમાં રાઇફલ ખોલી અને એસેમ્બલ કરી, Gujarat કેડરના IPS એ BSFનો અદ્ભુત વીડિયો શેર કર્યો
- Gujaratમાં ફરી એકવાર સ્પીડનો કહેર, હાઇ સ્પીડ BMWએ સ્કૂટી સવારને મારી ટક્કર – Video
- Bhavnagar: પોલીસકર્મીના દીકરાએ મિત્ર સાથે રેસ લગાવી, બે લોકોના મોત; ભયાનક VIDEO
- ગુજરાતીઓનો અવાજ મજબૂતીથી ઉઠાવાનું કરવાનું કામ કરશે કોંગ્રેસ: Amit Chavda