Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- T20: જેક્સ અને રેહાન ઇંગ્લેન્ડને જીત તરફ દોરી ગયા, ન્યુઝીલેન્ડને ફટકો પડ્યો, શું પાકિસ્તાન હવે સેમિફાઇનલમાં રમશે?
- shashi tharoor: હાઈકમાન્ડ સાથે સમાધાન પછી વલણમાં ફેરફાર કેમ?: કેરળ વિરુદ્ધ કેરળમ વિવાદ ચાલુ, બ્રિટાસે થરૂર પર વળતો પ્રહાર કર્યો
- IPLની 19મી આવૃત્તિનો ઉત્સાહ ક્યારે શરૂ થશે? ફાઇનલની તારીખ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
- HPV રસી વિશેની 5 મુખ્ય માન્યતાઓ અને તે શા માટે જરૂરી છે તેનું ડોક્ટરોએ ખંડન કર્યું.
- Ekta Kapoor: શું ‘બિગ બોસ 19’ ફેમ તાન્યા મિત્તલને એકતા કપૂર પાસેથી OTT પ્રોજેક્ટ મળ્યો છે? તેણીએ લગ્ન વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.





