Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- Jamnagar કોર્ટે ₹1 કરોડના ચેક બાઉન્સ વિવાદમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારી
- Scot: “અમે ચીનને સાથે મળીને જવાબ આપીશું…” દુર્લભ ખનિજોના નિકાસ પર પ્રતિબંધ અંગે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે બુધવારે જણાવ્યું
- Mamta: પીડિતાના પિતાએ મમતા બેનર્જીની માફી માંગી, તેણીને ‘માતા જેવી’ કહી; અગાઉ તેની ટીકા કરી હતી
- Taiwan અંગે ચીનની પરમાણુ તૈયારીઓ શું છે? તે અમેરિકા સામે આ રણનીતિ અપનાવી શકે છે
- Punjab: પંજાબ સરકારે વચન પાળ્યું, સંગરુર જિલ્લાના પૂર પીડિતો માટે રૂ. ૩.૫૦ કરોડનો પ્રથમ હપ્તો જારી કર્યો