Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- BRICS ભાગીદાર દેશો કયા છે અને તેઓ 11 સભ્ય દેશોથી કેવી રીતે અલગ છે? અહીં સંપૂર્ણ વિગત સમજો.
- Mirzapur: સિરીઝથી સિનેમા સુધી: ‘મિર્ઝાપુર’ની સફર — ગુરમીત સિંહે કેવી રીતે મોટા પડદા પર એક ભવ્ય અનુભવ રચ્યો’
- Delhi: દિલ્હીમાં યુદ્ધ સમાપ્ત કરવા અંગેની વાતચીત ચાલી રહી હતી ત્યારે યુરોપે યુક્રેનને શસ્ત્રો ખરીદવા માટે ₹67,000 કરોડ પૂરા પાડ્યા
- OpenAIનો મહત્વપૂર્ણ દાવો: શું ChatGPTએ ગણિતની સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંથી એકનો ઉકેલ શોધી કાઢ્યો છે? જાણો કેવી રીતે મળ્યો આ ઉકેલ
- pakistan: પાકિસ્તાન અને અમેરિકા દ્વારા ત્યજી દેવાયું: ગલ્ફ સંઘર્ષમાં સાઉદી અરેબિયા એકલું કેમ ફસાઈ ગયું છે?




