Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- China ના આ પગલાને કારણે થોડા દિવસોમાં કારનું ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હોત, શું વાંધો હતો?
- Nandini Gupta 72મો મિસ વર્લ્ડ ખિતાબ જીતવાનું ચૂકી ગયા, ભારત 7મી વખત વિજેતા બની શક્યું નહીં
- Karnataka માં તમાકુ પર કડક કાર્યવાહી, ખરીદીની ઉંમર વધારી, દંડ પણ વધાર્યો, વિગતો જાણો
- CDS: ઓપરેશન સિંદૂરમાં સેનાનો 15% સમય નકલી સમાચાર સામે લડવામાં બગડ્યો…’, CDSનું મોટું નિવેદન
- Singapore શાંગરી-લા ડાયલોગ માં ભારત ના સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનને અરીસો બતાવ્યો