Rajkot Game Zone Fire Accident: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગે ઊંડાણપૂર્વકની તપાસ માટે રાજ્ય સરકારે તાકીદે, CID ક્રાઇમના ADG સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની (SIT)ની રચના કરી છે. આ ટીમ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગેનો પ્રાથમિક અહેવાલ આગામી 72 કલાકમાં રાજ્ય સરકારને સુપરત કરશે. જ્યારે તમામ પાસાઓને આવરી લેતો વિગતવાર અહેવાલ 10 દિવસમાં સરકારને સોંપશે.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.
મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મળતી માહિતી અનુસાર TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ પકડી લેવામાં આવ્યા છે.
- NASAનું ‘મિશન મૂન’… શોધો કે આર્ટેમિસ-2 વિશ્વ માટે કેમ ખાસ છે—આજે લોન્ચિંગ
- pbks: પંજાબ કિંગ્સે રોમાંચક જીત સાથે શરૂઆત કરી; કોનોલીએ ગુજરાતની આશાઓ પર પાણી ફેરવ્યું
- spain: સ્પેન પછી, અમેરિકાને ઇટાલી તરફથી વધુ એક ઝટકો: ઇરાન સંઘર્ષમાં તેના પ્રદેશનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર
- iran: મોજતબા ખામેની ક્યાં છે? ઈરાનના સર્વોચ્ચ નેતા યુદ્ધનો એક મહિનો પણ ગુમ રહ્યા; રશિયન રાજદૂતે મોટો દાવો કર્યો
- dubai: દુબઈ-કાઠમંડુ ફ્લાઇટ કટોકટીના કારણે લખનૌ ડાયવર્ટ કરવામાં આવી; ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ શક્ય ન હતું





