આજે ચૈત્ર માસની અમાસના પવિત્ર દિવસે દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ભાવિકો ઉમટી પડ્યા અને જગતમંદિર તેમજ ગોમતી ઘાટ પર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

મહીસાગર. આજે ચૈત્ર માસની અમાસના પવિત્ર દિવસે દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ભાવિકો ઉમટી પડ્યા અને જગતમંદિર તેમજ ગોમતી ઘાટ પર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. હાલ શનિ-રવિની રજાઓ અને અમાસ જેવા પવિત્ર દિવસ સાથે-સાથે દ્વારકામાં હકડેઠઠ ભીડ વહેલી સવારથી જ જોવા મળી હતી. જગત મંદિર તેમજ નજીકમાં પવિત્ર ગોમતીઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓઓ ઉમટી પડ્યા હતા. આવી જ ભીડ બેટ દ્વારકા, નાગેશ્વરમાં પણ જોવા મળી હતી.

આ પ્રવાસીઓથી દ્વારકાના નાના-મોટા વેપારીઓને સારી એવી આવક થઈ રહી છે. હાલ આકરા ઉનાળામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી કાળિયા ઠાકોરના દર્શન માટે કલાકો સુધી ઊભા રહી અને રાહ જોઈ દર્શન કર્યા હતા અને દ્વારકામાં આવતા પ્રવાસીઓએ કાળિયા ઠાકોરના દર્શન કરી ભાવુક થયા હતા.

અમાસના દિવસે દર્શન અને ગોમતી સ્નાન કરી અનેરૂં પુણ્ય મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે દ્વારકાના મોટા પ્રમાણમાં સ્થાનિકોએ હરિદ્વારમાં પણ ગંગા સ્નાન કર્યું હતું.