અદા શર્મા આ દિવસોમાં તેની ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઘરે શિફ્ટ થવા જઈ રહી છે. હવે તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તે સુશાંતના ઘરે શિફ્ટ થઈ ગઈ છે.

ઈ-ટાઈમ્સના એક અહેવાલ મુજબ, અદા શર્માએ ઓક્ટોબર 2023માં લીઝ કરાર પર સાઈન કરીને પાંચ વર્ષ માટે ઘર પોતાના નામે લીધું છે. આ પછી, અભિનેત્રીએ આ વર્ષની શરૂઆતમાં તેની માતા અને દાદી સાથે ત્યાં રહેવાનું શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર અદાએ આ ઘર પાંચ વર્ષ માટે ભાડે લીધું છે.

બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા અદાએ પોતે આ માહિતી આપી હતી. તેણીએ કહ્યું- હું ચાર મહિના પહેલા જ ફ્લેટમાં શિફ્ટ થઈ હતી, પરંતુ OTT પર મારા પ્રોજેક્ટ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. હવે મને કામમાંથી થોડો સમય મળ્યો છે અને અહીં સ્થાયી થઇ છું.

અદાએ વધુમાં જણાવ્યું કે તે આખી જિંદગી બાંદ્રાના પાલી હિલ ખાતે એક જ ઘરમાં રહી છે. આ પહેલીવાર છે જ્યારે મેં મારું રહેઠાણ બદલ્યું છે. હું વાઇબ્સ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છું અને આ સ્થાન મને સકારાત્મક વાઇબ્સ આપે છે. કેરળ અને મુંબઈમાં અમારા ઘરો વૃક્ષોથી ઘેરાયેલા છે. અમે પક્ષીઓ અને ખિસકોલીઓને ખવડાવતા. તેથી, મને સમાન દૃશ્યો ધરાવતું ઘર અને પક્ષીઓને ખવડાવવા માટે પૂરતી જગ્યા જોઈતી હતી.અદા શર્માએ કહ્યું કે અનેક લોકોએ મને આ ઘરમાં રહેવા આવવા માટેની ના પાડી હતી, પરંતુ હું મારા નિર્ણય પર ટકી રહી. અદાએ 5 વર્ષ માટે આ એપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો છે. અદાએ નવા ફ્લેટને યુનિક સ્ટાઇલમાં ડિઝાઇન કરી દીધો છે. એક્ટ્રેસે ફ્લેટને સફેદ રંગ કરાવ્યો છે. રિપોટ્સ અનુસાર એક મસ્ત મંદિર પણ બનાવ્યું છે. એક મ્યુઝિક રૂમ, બીજો ડાન્સ સ્ટૂડિયો અને છતને બગીચામાં બદલી નાખ્યો છે.