જાણીતા મ્યુઝિશિયન એ. આર. રહેમાનની તબિયત અચાનક લથડી છે. હાલ તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાની વિગતો સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ જાણીતા સંગીતકાર એ. આર. રહેમાનની તબિયત અચાનક નાદુરસ્ત થઈ છે. તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડવાની સમસ્યા થઈ હતી. જેથી તાત્કાલિક ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
એપોલો હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા હાલ એ. આર. રહેમાનની એન્જીયોગ્રાફી સહિતના રીપોર્ટ કરવાનું શરૂ કરી દેવાયુ છે. એક આખી ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે. તો ડોક્ટર્સના જણાવ્યા મુજબ રોઝા રાખવાના કારણે ડિહાઈડ્રેશન પણ હોઈ શકે છે. હાલ તો તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ છે અને તેઓ સ્વસ્થ થાય તે માટે દુઆઓ માંગવામાં આવી રહી છે.

ડીહાઈડ્રેશન એટલે શરીરમાં પાણીની ઉણપ. જ્યારે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે ડીહાઈડ્રેશન થાય છે.
એ. આર. રહેમાન ભારતીય ફિલ્મ સંગીતકાર, રેકોર્ડ નિર્માતા, સંગીતકાર અને ગાયક છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1967 ના રોજ થયો હતો. રહેમાનને વિશ્વના સૌથી સફળ સંગીતકારોમાંના એક ગણવામાં આવે છે. તેમણે 150 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને બે એકેડેમી એવોર્ડ, બે ગ્રેમી એવોર્ડ, એક બાફ્ટા એવોર્ડ અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે.
આ પણ વાંચો..
- Gujaratના શિક્ષણ મોડેલનું સત્ય આવ્યું બહાર, 8 વર્ષમાં બંધ થઇ 500 થી વધુ સરકારી શાળાઓ
- ટ્રક ડ્રાઈવરે નરેન્દ્ર સિંહને બચાવી લીધા જેમના એક હાથ અને પગથી ખૂબ લોહી નીકળતું હતું, પણ… Gujarat અકસ્માતનું તે ભયાનક દ્રશ્ય જાણો
- Ahmedabad: મુસાફરો તરીકે બેઠેલા ત્રણ લોકોએ ઓટો ચાલકની કરી હત્યા, 3 ની ધરપકડ
- Gujaratના સુરતમાં દુઃખદ અકસ્માત, જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાથી 3 લોકોના મોત
- એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે AAIB ના પહેલા અહેવાલમાં શું છે? 10 મહત્વપૂર્ણ બાબતો સમજો