જાણીતા મ્યુઝિશિયન એ. આર. રહેમાનની તબિયત અચાનક લથડી છે. હાલ તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાની વિગતો સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ જાણીતા સંગીતકાર એ. આર. રહેમાનની તબિયત અચાનક નાદુરસ્ત થઈ છે. તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડવાની સમસ્યા થઈ હતી. જેથી તાત્કાલિક ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
એપોલો હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા હાલ એ. આર. રહેમાનની એન્જીયોગ્રાફી સહિતના રીપોર્ટ કરવાનું શરૂ કરી દેવાયુ છે. એક આખી ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે. તો ડોક્ટર્સના જણાવ્યા મુજબ રોઝા રાખવાના કારણે ડિહાઈડ્રેશન પણ હોઈ શકે છે. હાલ તો તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ છે અને તેઓ સ્વસ્થ થાય તે માટે દુઆઓ માંગવામાં આવી રહી છે.

ડીહાઈડ્રેશન એટલે શરીરમાં પાણીની ઉણપ. જ્યારે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે ડીહાઈડ્રેશન થાય છે.
એ. આર. રહેમાન ભારતીય ફિલ્મ સંગીતકાર, રેકોર્ડ નિર્માતા, સંગીતકાર અને ગાયક છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1967 ના રોજ થયો હતો. રહેમાનને વિશ્વના સૌથી સફળ સંગીતકારોમાંના એક ગણવામાં આવે છે. તેમણે 150 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને બે એકેડેમી એવોર્ડ, બે ગ્રેમી એવોર્ડ, એક બાફ્ટા એવોર્ડ અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે.
આ પણ વાંચો..
- Ahmedabad: 20 રૂપિયાના લાંચ કેસમાં 29 વર્ષ પછી નિર્દોષ જાહેર થયા પોલીસ કોન્સ્ટેબલ, બીજા દિવસે થઇ મોત
- CM Bhupendra Patelએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું, જે કહેવું તે કરવું’નો વડાપ્રધાનનો આપેલો કાર્યમંત્ર મુખ્યમંત્રીએ સાકાર કર્યો
- ગાંધી અને સરદારના નામે ગુજરાતમાં દારૂબંધીનું નાટક બંધ કરો, પૂર્વ સીએમ Shankarsinh Vaghelaએ પોલીસ પર કર્યા આકરા પ્રહારો
- Vadodara: સગીરે શાળામાં જુનિયર વિદ્યાર્થીની કરી હતી હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
- Kutchમાં ગર્જ્યું બુલડોઝર, આઇકોનિક રોડ પ્રોજેક્ટ માટે તોડી પાડવામાં આવ્યા 245 ગેરકાયદે બાંધકામો





