Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- શું pm Modi ઢાકાની મુલાકાત લેશે?: તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહ માટે BNP કેવી તૈયારીઓ કરી રહી છે, અને સમારોહમાં કોને આમંત્રિત કરવામાં આવશે?
- Team India: હવે ‘સિલેબસની બહાર’ પ્રશ્નથી ડરતી નથી, ટીમ ઈન્ડિયા આ પાકિસ્તાની હથિયારનો સામનો કરવા માટે તૈયાર
- Indigo: આસામથી કોલકાતા જઈ રહેલા વિમાનમાં લિપસ્ટિકમાં લખેલી બોમ્બ ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ પછી તપાસ શરૂ
- Trump: શું અમેરિકી રાષ્ટ્રપતિ ખામેની સાથે સમાધાન કરવા માંગે છે? રુબિયોએ કહ્યું કે ટ્રમ્પ મુલાકાત માટે તૈયાર છે
- China: નવા સંઘર્ષો ન ઉશ્કેરો, ઈરાન પર સાવધાની રાખો… ચીનની અમેરિકાને સલાહ





