ગુજરાતમાં ભારે વરસાદથી મોટાભાગની નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં મેઘમહેર થતા ધરોઈ ડેમની જળસપાટી વધી છે, જેના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પગલે સાબરમતી કાંઠે વસતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું છે.
સાબરમતીમાં પાણી છોડાયું
સાબરમતી નદીમાં પાણી છોડાતા નદીના પ્રવાહમાં વધારો થયો છે. મહેસાણાથી સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું છે. આ સિવાય ગાંધીનગરના સંત સરોવરમાંથી 60 હજાર ક્યૂસેક અને વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 31 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે.
રિવરફ્રન્ટ વોક-વે બંધ
સાબરમતીમાં વધેલા વહેણને કારણે રિવરફ્રન્ટ સુધી પાણી પહોંચી ગયું છે. જેના કારણે રિવરફ્રન્ટનો વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને નદીની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે. નદી કાંઠે વસતા લોકોને હાઈ એલર્ટ રાખવામાં આવ્યા છે.
7 લોકોનું રેસ્ક્યુ
24 ઓગસ્ટે વડનગર તાલુકાના જૂની વાગડી ગામે રામાપીર મંદિર નજીક સાબરમતીમાં વધેલા પ્રવાહથી 7 લોકો ફસાઈ ગયા હતા. સામે કાંઠે બે ટ્રક સાથે અટવાયેલા લોકોને એનડીઆરએફની ટીમે સમયસર બચાવી લીધા હતા.
ધરોઈ ડેમના 4 દરવાજા ખોલાયા
ધરોઈ ડેમ હાલ 58 ટકા કરતાં વધુ ભરાયો છે. હાલમાં 59,444 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 58,880 ક્યૂસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. સાબરમતી કાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ વધતા મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયો છે. હાલ ડેમ 94.20 ટકા ભરાયો છે.
પાણીની સારી આવક
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી પાણીનો પુરવઠો યથાવત છે. ડેમમાં પાણીની સારી આવક થવાથી રાજ્યના જળાશયોમાં પણ સારો સંગ્રહ થયો છે. આ સ્થિતિએ આગામી વર્ષે પીવાના પાણીની કોઈ મોટી સમસ્યા નહીં રહે તેવી આશા છે.
આ પણ વાંચો
- vaibhav suryavanshi: વસીમ અકરમે PSL સામે અરીસો ધર્યો: વૈભવનું ઉદાહરણ આપીને પૂછ્યું – ૧૦ વર્ષમાં સૂર્યવંશી જેવા કેટલા બેટ્સમેન તૈયાર થયા?
- xi jinping: પીએમ મોદીને મળવા શી જિનપિંગ નવી દિલ્હી પહોંચ્યા; સાત વર્ષ પછીની આ મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે?
- ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડો અને મનરેગા યોજના હેઠળ રોજગારીના દિવસોમાં વધારો કરો : Isudan Gadhvi
- વંદે માતરમના અપમાન મામલે કોંગ્રેસના ધારાસભ્ય Imran Khedawalaની મુશ્કેલીઓ વધી; સ્પીકરે વિશેષાધિકાર સમિતિને આપ્યો તપાસનો આદેશ
- Ahmedabadના લાંભામાં ખાદ્ય તેલના રિપેકિંગ યુનિટ પર AMCની કાર્યવાહી, 3.93 લાખ રૂપિયાથી વધુનું તેલ જપ્ત




