Jamnagar ના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા લોકમેળામાં એક પછી એક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. મેળામાં નિયમ ભંગ બદલ મોતનો કૂવો તથા અન્ય બે રાઇડ્સ બંધ કરાવાઈ છે. મેળામાં માંડ ૧૪ રાઇડ્સને મંજૂરી મળી હતી. તેમાં પણ ૩ રાઈડ્સ બંધ કરાવાતા હાલ માત્ર ૧૧ રાઇડ્સ મેળામાં હોઇ તેમાં બેસવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. મંજૂરીના પ્રશ્ને મોતનો રાઈડ્સ કૂવો જ્યારે બે પ્લેટમાં એકથી વધુ મૂકવામાં આવી હોવાનું ખૂલતાં મનપા દ્વારા કાર્યવાહી

Jamnagar મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને રાજ્ય સરકારની નવી એસ.ઓ.પી. તથા ગાઈડ લાઈન ને સનુસરીને મશીન મનોરંજનની ૧૪ જેટલી રાઈડ લગાવવામાં આવી હતી, જેમાં આ વખતે એક પ્લોટમાં એક રાઇડ મૂકવાની થતી હતી, પરંતુ જુદા જુદા બે પ્લોટમાં એકથી વધુ રાઈડ મુકવામાં ઓવી હોવાનું તંત્રને ધ્યાનમાં આવતાં જોઈન્ટ વ્હીલ તેમજ બ્રેકડાન્સ સહિતની બે રાઈડ બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત મારુતિ મોતનો કૂવો કે જેને યાંત્રિક રાઈડનું ફિટનેસ મળતું ન હોવાથી અને તે હસ્તકલામાં આવતી હોવાથી તેની મંજૂરી મેળવવા માટેનો પ્રશ્ન ઉપસ્થિતથયો હતો, અને હાલ મહાનગરપાલિકા|દ્વારા મારુતિ મોતના કુવાની રાઈડ પણ બંધ કરાવી દેવામાં આવી છે.

જેથી જામનગર વાસીઓના મનોરંજનમાં ઘટાડો થયો છે. પ્રતિ વર્ષ નાની મોટી ૨૫ જેટલી રાઇડ લગાવવામાં આવે છે, પરંતુ આ વખતે નવી ગાઈડ લાઈન મુજબ દરેક પ્લોટની વચ્ચે જગ્યા મુકેલી હોવાથી તંત્ર દ્વારા માત્ર ૧૪ રાઈડ ચલાવવા માટેની મંજૂરી અપાઈ હતી, જે પૈકીની ત્રણ રાઇડ બંધ કરાવતાં હાલ સાડા સાત લાખ જેટલી માનવ વસ્તી વચ્ચે એકમાત્ર ૧૧ રાઈડ મનોરંજન માટે ચાલુ રહી છે, જેથી રાડામાં બેસવા માટે પ ધસારો જોવા મળી રહ્યો છે.