Junagadh પોરબંદર નજીકના કડેગી ગામે ડેમની કેનાલમાં ડુબી ડેમની કેનાલમાં ડુબી જતા જુનાગઢના યુવાનનું મોત થયું છે. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર કુતિયાણા નજીક બાઈક અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ખીજદળની સીમમાં રહેતા યુવાનનું અપમૃત્યુ થતા અરેરાટી ફેલાઈ છે. કુતિયાણા પાસે બસે બાઈકને હડફેટે લેતાં ખીજદળના યુવાનનો ભોગ લેવાયો.

Junagadh ના ભરત જેઠાભાઈ ચૌહાણએ કુતિયાણા પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે, તેનો નાનો ભાઈ અશ્વિન જેઠાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮) કે જે જુનાગઢના આંબેડકરનગરમાં રહેતો હતો,તે કડેગી ગામે આવેલ ડેમની કેનાલમાં અકસ્માતે પડી જતા પાણીમાં ડુબી જવાથી અશ્વિનનું મોત થયું છે.

ખીજદળ ગામની સીમમાં રહેતા કાનાભાઈ મારખીભાઈ ગલ નામના | આધેડે કુતિયાણા પોલીસ મથકમાં એવી ફરીયાદ નોંધાવી છે કે, તેના કૌટુંબિક ભત્રીજા ખીમાભાઈનો દીકરો પરબત ગલ (ઉ.વ.૩૩) કે જે કુતિયાણામાં મોટર રીવાઇડીંગની દુકાન ચલાવતો હતો, એ મોટરસાયકલ લઈને પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર મારૂતિ હોટલ નજીકથી નીકળ્યો ત્યારે બિંદિયા ટ્રાવેલ્સ બસના ચાલકે પરબતના બાઈકને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે તેનું મોત થયું હતુ.