Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- Vadodara News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે લોહીલુહાણ, સમિયાલા અને પાદરા નજીક ત્રિપલ અકસ્માતમાં 4 લોકોના મોત
- Gujarat: GPSC વર્ગ 1-2 ની પ્રારંભિક પરીક્ષા આજે, રાજ્યભરમાંથી 75 હજારથી વધુ ઉમેદવારોની 268 જગ્યા માટે લડત
- Sports News: કેપ્ટનશીપ ગુમાવવા અને ટીમમાંથી બહાર થવા છતાં, સૂર્યાએ બધાના દિલ જીતી લીધા! શ્રેયસ અને વૈભવ માટે ખાસ સંદેશ
- Ahmedabad Court: ઉશ્કેરાયેલા પતિએ કોર્ટમાં પત્નીના વકીલને ચાર-પાંચ વાર થપ્પડ મારી દીધા
- Surat: ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી ચાર સફાઈ કર્મચારીઓના મોત




