Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- Shreyas Aiyer: હું તેના બાળકોની માતા છું’, આ અભિનેત્રી શ્રેયસ ઐયરના પ્રેમમાં પાગલ થઈ ગઈ; કહી મોટી વાત
- Chattisgarh: સુરક્ષા દળોએ ત્રણ દિવસમાં વધુ 2 માઓવાદીઓને ઠાર કર્યા, 7 નક્સલીઓ માર્યા
- Ekta Kapoor: એકતા કપૂરે નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યા, જીતેન્દ્રની પુત્રી અલગ રીતે વાર્તાઓ કહેશે
- Elon musk: એલોન મસ્કનો યુ-ટર્ન… પહેલા ટ્રમ્પ પર આરોપ, હવે પોસ્ટ ડિલીટ કરી
- Pm Modi: પીએમ મોદીના આમંત્રણથી ગુસ્સે ભરાયેલા ખાલિસ્તાન સમર્થકો, કાર્ને પર નિશાન