Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- Vikrant: વિક્રાંત મેસીએ નિવૃત્તિ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું, “કામ રાહ જોઈ શકે છે…”
- Epstine જાતીય ગુનેગાર જેફરી એપસ્ટેઇન ઇઝરાયલી જાસૂસ હતો… FBI દસ્તાવેજમાં સનસનાટીભર્યો દાવો
- Bangladesh: શેખ હસીનાના ભૂતપૂર્વ મંત્રી અને હિન્દુ નેતાનું જેલમાં અવસાન, બાંગ્લાદેશની ચૂંટણી પહેલા કસ્ટોડિયલ મૃત્યુ અંગે પ્રશ્નો
- Pm Modi:ભારત માટે મલેશિયા કેટલું મહત્વનું છે? પીએમ મોદી બે દિવસના વિદેશ પ્રવાસે પહોંચ્યા
- MEA: અમારા સંબંધો ખાસ છે, પરંતુ અમે સતર્ક છીએ – પાકિસ્તાન સાથે બાંગ્લાદેશની વધતી મિત્રતા પર વિદેશ મંત્રાલય





