Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- એસ. જયશંકરે ASEAN Summit દરમિયાન ન્યુઝીલેન્ડના પીએમ લક્સન અને મલેશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ
- US Shutdown ની અસર દેખાઈ રહી છે, સ્ટાફની અછતને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી રહી છે, જેના કારણે ગભરાટ ફેલાયો છે.
- S Jaishankar એ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી. જાણો બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
- IND vs AUS : જસપ્રીત બુમરાહ પાસે T20 શ્રેણીમાં મોટો પ્રભાવ પાડવાની તક છે, અશ્વિનને પાછળ છોડી શકે છે
- Delhi ની એક વિદ્યાર્થીની પર એસિડ એટેકનો કેસ સંપૂર્ણપણે નકલી હતો, અને તપાસમાં ચોંકાવનારા થયા ખુલાસા





