Gujarat : વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે.
વાપીના છીરી ખાતે વડિયાવાડમાં રહેતી 14 વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી. બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી સગીરાએ કયા કારણસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે. હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે.
સમાજને ઝંઝોળી નાખતી આ ઘટના પાછળનાં કારણો જાણવા પોલીસ જે રીતે તપાસમાં લાગી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જેમાં મહત્વની બાબતો સામે આવી શકે છે, તો પોલીસે સગીરા સાથે સંકલાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો..
- Ahmedabad Breaking News: ગુજરાતમાં 10.95 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં EDની મોટી કાર્યવાહી
- Gujarat: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં થશે મોટો ફેરફાર, CM દિલ્હીમાં; અમિત શાહ સાથે મંથન
- Javed Akhtar તાલિબાન મંત્રીના સ્વાગતથી ગુસ્સે ભરાયેલા જાવેદ અખ્તરે કહ્યું, “મારું માથું શરમથી ઝૂકી ગયું છે…”
- Gujarat: CID સાયબર સેલે નકલી ગીર સફારી પરમિટ વેચતા ઓનલાઈન રેકેટનો પર્દાફાશ કર્યો, 3 ની ધરપકડ
- Gujarat રેલ્વે પોલીસનો એક્સન મોડ ઓન, ટ્રેનો પાટા પરથી ઉતારવાના અને લૂંટના કાવતરામાં સંડોવાયેલા કુખ્યાત ગેંગ સામે મોટી કાર્યવાહી