Gujarat : વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે.
વાપીના છીરી ખાતે વડિયાવાડમાં રહેતી 14 વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી. બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી સગીરાએ કયા કારણસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે. હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે.
સમાજને ઝંઝોળી નાખતી આ ઘટના પાછળનાં કારણો જાણવા પોલીસ જે રીતે તપાસમાં લાગી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જેમાં મહત્વની બાબતો સામે આવી શકે છે, તો પોલીસે સગીરા સાથે સંકલાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો..
- Horoscope: તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ જાણો ફક્ત એક ક્લિક પર
- variyali: દરરોજ ફક્ત અડધી ચમચી વરિયાળી ખાવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે
- NASA: નાસાના અભ્યાસ સૂચવે છે કે પૃથ્વીએ તેના તાત્કાલિક કોસ્મિક પડોશમાંથી જીવન માટે જરૂરી ઘટકો મેળવ્યા હશે.
- હવે અખબારમાં લપેટીને ખોરાક પીરસવામાં નહીં આવે: FSSAI એ નવી ચેતવણી જારી કરી; વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી થવાની સંભાવના
- amit shah: અમિત શાહ સાથેની અમરિંદરની મુલાકાતથી પંજાબના રાજકીય ભવિષ્ય અંગે નવી અટકળો શરૂ થઈ




