Gujarat : વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે.
વાપીના છીરી ખાતે વડિયાવાડમાં રહેતી 14 વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી. બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી સગીરાએ કયા કારણસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે. હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે.
સમાજને ઝંઝોળી નાખતી આ ઘટના પાછળનાં કારણો જાણવા પોલીસ જે રીતે તપાસમાં લાગી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જેમાં મહત્વની બાબતો સામે આવી શકે છે, તો પોલીસે સગીરા સાથે સંકલાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો..
- Iskon: અમેરિકામાં ઇસ્કોન મંદિર પર ગોળીબાર, ભારતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી; કડક કાર્યવાહીની માંગ
- America: એક અમેરિકન બી-2 બોમ્બર વિમાન ગુમ થયું, શું આમાં ઈરાનનો હાથ છે કે કોઈ અન્ય રહસ્ય…
- Space Station પહોંચેલા શુભાંશુ શુક્લાએ પોતાનું ખાસ મિશન શરૂ કર્યું, જાણો આનો શું ફાયદો થશે
- Pakistan માં આતંકવાદીઓએ તબાહી મચાવી, પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો; બેંકોમાં આગ લગાવી
- ‘અમેરિકાએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરશે’, જાણો S Jaishankar એ શું કહ્યું