Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- Surendranagarમાં ગે ડેટિંગ એપ મારફતે હની ટ્રેપનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપાયા
- Gujaratમાં પાઠ્યપુસ્તક વિતરણમાં ભારે વિલંબ, કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલો
- Gujarat: રેલવે સલામતીને લઈને એક્શનમાં પશ્ચિમ રેલ્વે, જીએમએ લીધી મહત્વપૂર્ણ બેઠક
- કૃષિ ક્ષેત્રમાં સબસિડી અને સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાની જરૂર: Chaitar Vasava
- હાઇટેન્શન લાઇનના મુદ્દા સહિત તમામ પ્રશ્નો બાબતોને લઈ યોજાશે “કિસાન મહાપંચાયત”: Praveen Ram AAP




