Gujarat : રાજકોટમાં આજે 2 કાર વચ્ચે ટક્કર થઈ અને આ પૈકી એક કાર સળગી ઉઠી હતી. જેમાં 4 લોકોના મોત થયા છે. ખાસ કરીને આ 4માં માતા-પુત્રીનો પણ સમાવેશ થાય છે. અન્ય ચાલ લોકોને સારવાર માટે ખસેડાયા છે.
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળતા કારમાં સવાર ચાર લોકો ભડથું થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડાયા છે. 4 મૃતકોમાં માતા અને પુત્રીએ જીવ ગુમાવ્યો છે. તેમાં પુત્રીની ઉંમર માત્ર 3 વર્ષ હતી. જ્યારે અન્ય એક 12 વર્ષિય કિશોરનું મોત થયુ છે. ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈને બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરી હતી. આ ઉપરાંત, અકસ્માતમાં જે લોકો ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના નામ
નિરુબેન અતુલભાઈ મકવાણા, 35, રહે. ગોંડલ
હેતવી અતુલભાઈ મકવાણા, 3 વર્ષ, રહે. ગોંડલ
હેમાંશી શાહીલ સરવૈયા, 22, રહે. ગોંડલ વિજય નગર
મિત અશોકભાઈ સાકરીયા, 12, રહે. ગોંડલ
ઈજાગ્રસ્તોના નામ
શાહીલ સરવૈયા, 22 વર્ષ, રહે. ગોંડલ
હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રહે. ગોંડલ
નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રહે. ગોંડલ
આ પણ વાંચો…
- Gujarat: રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારીઓ તેમના મતાધિકારનો કરશે પૂરતો ઉપયોગ
- Gujarat : અહીંયા થયો ધડકાભેર ટ્રિપલ અકસ્માત, 2ના મોત
- Nadiad : અકસ્માતમાં મૃત્યુ થતા પરીવારે દિકરાને તેના પ્રિય બાઈક સાથે દફનાવ્યો
- Palghar : શિવસેના કાર્યકર્તા અશોક ધોડી અપહરણ અને હત્યા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો
- Bangladesh: બાંગ્લાદેશીઓએ ભારત ન જવું જોઈએ, યુનુસે અચાનક પોતાના લોકો માટે આદેશ જારી કર્યો