Gujarat : અમરેલીના બગસરા તાલુકાના ખીજડીયા ગામમાં ખેતરની જમીનના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણમી છે. ગંભીર હિંસક બનાવમાં તલવાર અને કુહાડી વડે થયેલી મારામારીમાં કાળુભાઈ ભોજભાઈ વાળાની હત્યા થઈ છે.
મૃતકના પુત્ર રાજદીપ વાળા આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજદીપને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામેના પક્ષના જયરાજ વાળાને પણ ઈજાઓ પહોંચી છે. હત્યા અને ઈજાઓના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ ઘટના કુટુંબમાં જમીન સંબંધિત વિવાદના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતી પરથી જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયા ગામે ખેલાયેલા આ હિંસક ધિંગાણાં મામલે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરાની આ ઘટનાના આખા જિલ્લામાં પડઘા પડ્યા છે. નજીવી બાબતે કુટુંબીઓ દ્વારા જ આધેડને પતાવી દેતા ચકચાર મચી છે. આ સિવાય પોલીસ અને કાયદાને પણ લોકોને ડર ન રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો..
- Sports News: ગૌતમ ગંભીરના સ્થાને એક નવા દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, જે એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
- Ahmedabad:હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝની પ્રથમ આવૃત્તિ અમદાવાદમાં યોજાશે, જેમાં 20 દેશોના 100 થી વધુ રમતવીરો ભાગ લેશે
- Surat: કુખ્યાત ફૈઝલ ફટ્ટા હત્યા કેસમાં મોટો ખુલાસો, કુખ્યાત મુબારક ઉર્ફે મુબો પટેલે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી!
- Sabarkantha: સ્વાઇન ફ્લૂ ફેલાયો, હિંમતનગરમાં 65 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ, 15 ICU બેડની વ્યવસ્થા કરાઈ
- Surat: સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ખોરાકમાં મરેલા વંદો મળી આવતા વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા




