Gujarat : અમરેલીના બગસરા તાલુકાના ખીજડીયા ગામમાં ખેતરની જમીનના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણમી છે. ગંભીર હિંસક બનાવમાં તલવાર અને કુહાડી વડે થયેલી મારામારીમાં કાળુભાઈ ભોજભાઈ વાળાની હત્યા થઈ છે.
મૃતકના પુત્ર રાજદીપ વાળા આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજદીપને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામેના પક્ષના જયરાજ વાળાને પણ ઈજાઓ પહોંચી છે. હત્યા અને ઈજાઓના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ ઘટના કુટુંબમાં જમીન સંબંધિત વિવાદના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતી પરથી જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયા ગામે ખેલાયેલા આ હિંસક ધિંગાણાં મામલે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરાની આ ઘટનાના આખા જિલ્લામાં પડઘા પડ્યા છે. નજીવી બાબતે કુટુંબીઓ દ્વારા જ આધેડને પતાવી દેતા ચકચાર મચી છે. આ સિવાય પોલીસ અને કાયદાને પણ લોકોને ડર ન રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો..
- Horoscope: કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો ફક્ત એક ક્લિક પર
- Iran: ઈરાને ૫૦ દિવસ પછી હવાઈ ક્ષેત્ર ફરી ખોલ્યું; પૂર્વીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ
- CSK: ચેન્નઈનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર; મેથ્યુ શોર્ટ અને સરફરાઝ ખાન ક્રીઝ પર મજબૂત પકડ ધરાવે છે
- Pm Modi કોંગ્રેસ-સપાથી લઈને ડીએમકે સુધી… બિલ પસાર ન થવા બદલ પીએમ મોદીની ટીકા; કહ્યું, “બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ”
- hormuz: હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ: બે જહાજો પર ગોળીબાર બાદ ભારતનું વલણ શું છે? વિદેશ મંત્રાલયે ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા




