નાસાના અવકાશયાત્રી Sunita Williams અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત આવી રહ્યા છે. બંને નાસા અવકાશયાત્રી 9 મહિનાથી અંતરિક્ષમાં છે. નાસાનું ક્રૂ-10 મિશન તેમની વાપસી માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પહોંચી ગયું હતુ અને હવે તે પરત આવવા માટે પણ નીકળી ગયુ છે.

ક્રૂ-10 મિશન શનિવારે રાત્રે આઇએસએસ સાથે જોડાઇ ગયું હતું અને અવકાશયાત્રીઓ રવિવારે આ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. આ પછી Sunita Williams અને બુચ વિલ્મોરને પૃથ્વી પર સુરક્ષિત પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવાની હતી, જે અત્યારે ચાલુ કરી દેવાઈ છે અને નાસાનું ક્રૂ-10 મિશન પરત આવવા નીકળી ગયુ છે.
આજનો દિવસ વિત્યા બાદ ભારતીય સમય મુજબ રાત્રે 12 વાગ્યાથી 19 માર્ચનો દિવસ શરૂ થશે અને આ જ રાત્રે 3.27 કલાકે ક્રૂ-10 પાણીમાં લેન્ડ કરશે. આ અંગે હાલ ચોમેર Sunita Williams અને તેમની ટીમ માટે પ્રાર્થનાઓનો દૌર ચાલી રહ્યો છે.
નાસા મિશન મેનેજરો હવામાન પરિસ્થિતિઓનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે જેથી Sunita Williams અને અન્ય સ્પેસ યાત્રીઓની પરત આવવાની યાત્રાને સલામત રીતે પૂર્ણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, 8 દિવસ માટે સ્પેસ સ્ટેશનમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ઘણા મહિનાઓથી સ્પેસ સ્ટેશનમાં અટવાઈ ગયા હતા. જેઓ હવે પરત આવી રહ્યા છે.
આ પણ વાંચો..
- પુતિન અને જિનપિંગ દિલ્હીમાં ક્યાં રોકાશે? તેઓ ‘ભારત મંડપમ’ ક્યારે પહોંચશે? અહીં BRICS સમિટનું સંપૂર્ણ સમયપત્રક છે
- mamta: શું મમતા સુવેન્દુની ખાલી પડેલી બેઠક પર નજર રાખી રહ્યા છે? નંદીગ્રામથી ચૂંટણી લડવાની શક્યતા અંગે અટકળો તેજ બની છે
- kuldeep yadav: ૧૦ વિકેટ… ઈંગ્લેન્ડમાં કુલદીપ યાદવનો ઐતિહાસિક સ્પેલ; કારકિર્દીની પ્રથમ સિદ્ધિ
- અમેરિકા BRICSથી કેમ ડરે છે? ડોલર સંબંધિત ગતિશીલતાને સમજવી
- IndiGoની ફ્લાઇટમાં બોમ્બની ધમકી: લખનૌથી સાઉદી અરેબિયા જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ; તપાસમાં શું જાણવા મળ્યું?




