કુપવાડા-પૂંચમાં પાકિસ્તાની ચોકીઓએ LoC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો. પહલગામ હુમલા બાદ તણાવ વધ્યો, સ્થિતિ પર નજર.
નવી દિલ્હી. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ગઈકાલે પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ કુપવાડા અને પૂંચ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ચોકીઓ તરફથી ગોળીબાર કરાયો હતો, જેનો ભારતીય સૈનિકોએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો.

પહલગામ હુમલા બદલ 16 પાક. યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ
ભારતે પહલગામ આતંકી હુમલાને લઈ ખોટી માહિતી ફેલાવવા બદલ ડૉન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ અને જિઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સેના અને સુરક્ષા સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સંવેદનશીલ માહિતી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવા બદલ આ યુ-ટ્યૂબ ચૅનલો પર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધિત ચૅનલોના છ કરોડ 30 લાખથી વધુ દર્શક છે.સરકારે હુમલા અંગે બીબીસીના રિપોર્ટીંગ પર પણ વાંધો ઉઠાવ્યો અને ભારતના બીબીસી પ્રમુખને દેશની ભાવનાઓથી અવગત કરાવ્યા છે. આતંકવાદીઓને ઉગ્રવાદી કહેવા બદલ બીબીસીને ઔપચારિક પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને હવે વિદેશ મંત્રાલય દ્વારા બીબીસીના રિપોર્ટીંગ પર નજર રખાશે.
Also Read:
- Trump: ડેટા દર્શાવે છે કે ટ્રમ્પની પાર્ટીને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે
- ameesha patel: શું અમીષાનું હાર્દિક પંડ્યા સાથે અફેર છે? અભિનેત્રીએ અફવાઓનો જવાબ આપ્યો; અહીં તેમના નામ શા માટે જોડવામાં આવ્યા હતા તે અહીં છે
- Pakistan: પાકિસ્તાનમાં ફક્ત 2% મહિલાઓ પાસે જમીન છે; ભારત અને બાકીના વિશ્વમાં શું પરિસ્થિતિ છે?
- RSS: હિન્દુત્વના દ્રષ્ટિકોણથી, વ્યક્તિની ‘કર્મભૂમિ’ (કર્મભૂમિ) એ સ્થાન છે જેના પ્રત્યે વફાદારી રાખવી જોઈએ… RSS વડા મોહન ભાગવત લંડનમાં બોલે છે
- Ahmedabad: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી




