કુપવાડા-પૂંચમાં પાકિસ્તાની ચોકીઓએ LoC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો. પહલગામ હુમલા બાદ તણાવ વધ્યો, સ્થિતિ પર નજર.
નવી દિલ્હી. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ગઈકાલે પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ કુપવાડા અને પૂંચ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ચોકીઓ તરફથી ગોળીબાર કરાયો હતો, જેનો ભારતીય સૈનિકોએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો.

પહલગામ હુમલા બદલ 16 પાક. યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ
ભારતે પહલગામ આતંકી હુમલાને લઈ ખોટી માહિતી ફેલાવવા બદલ ડૉન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ અને જિઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સેના અને સુરક્ષા સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સંવેદનશીલ માહિતી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવા બદલ આ યુ-ટ્યૂબ ચૅનલો પર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધિત ચૅનલોના છ કરોડ 30 લાખથી વધુ દર્શક છે.સરકારે હુમલા અંગે બીબીસીના રિપોર્ટીંગ પર પણ વાંધો ઉઠાવ્યો અને ભારતના બીબીસી પ્રમુખને દેશની ભાવનાઓથી અવગત કરાવ્યા છે. આતંકવાદીઓને ઉગ્રવાદી કહેવા બદલ બીબીસીને ઔપચારિક પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને હવે વિદેશ મંત્રાલય દ્વારા બીબીસીના રિપોર્ટીંગ પર નજર રખાશે.
Also Read:
- Kangana ranaut: ૫૦ રૂપિયાની કમાણી, ૧૫ લાખનો પગાર…’ કંગનાએ પૂર પીડિતોને શું કહ્યું? તેનાથી ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો
- Türkiye: તુર્કીએ સાયપ્રસને ચેતવણી આપી છે કે ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ ખરીદવાથી તણાવ વધી શકે છે
- Chotaudaipur: છોટાઉદેપુરમાં શિક્ષકોએ લાંચ માંગવા બદલ નગરપાલિકા, શાળા સામે ફરિયાદ નોંધાવી
- Katar: કતાર શિખર સંમેલન પછી એર્દોઆન સક્રિય થયા, ઇજિપ્તીયન અને તુર્કી નૌકાદળો યુદ્ધ કવાયત કરશે
- Samir Modi: લલિત મોદીના ભાઈની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ; સમીર ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો