ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામૂલા, કુપવાડામાં ઉશ્કેરણી વિરુદ્ધ ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા- LoC પર પાકિસ્તાની સેનાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ LoC પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટર વિસ્તારમાં ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી બારામૂલા અને કુપવાડા જિલ્લા તેમજ પરગવાલ સેક્ટરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર કરાયો. ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તેમને વળતો જવાબ આપ્યો હતો.

Also Read:
- સાંસદને લખેલા પત્રની અસર, Panchmahalના સાંસદ જાધવે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે કરી નવી ટ્રેનોની માંગ
- Gujarat ATSએ રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શાર્પશૂટરને પકડ્યો,કોર્ટ ફાયરિંગ કેસમાં હતો વોન્ટેડ
- ખોટા કેસ દ્વારા બ્લેકમેલ, રશિયન સેનામાં ફરજ બજાવવા કર્યો મજબુર; Gujaratના યુવકે વ્યક્ત કરી પોતાની વ્યથા
- કુપોષિત બાળકો માટે ફુડબીલ નથી, યુનિટી માર્ચ અને કાર્યક્રમોમાં કરોડો ખર્ચાયા: Chaitar Vasava
- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન – CM Bhupendra Patelએ પ્રમાણપત્રો એનાયત કર્યા




