નવી દિલ્હી. ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત થયા છે અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ માહિતી ઈરાનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે. ઈરાનના કટોકટી વ્યવસ્થાપન સંગઠનના પ્રવક્તા હુસૈન જાફરીએ જણાવ્યું હતું કે રાસાયણિક કન્ટેનરના અયોગ્ય સંગ્રહને કારણે વિસ્ફોટ થયો હતો. જોકે સરકારે કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર આ ઘટના પર દુઃખ અને સંવેદના વ્યક્ત કરી અને આ મામલાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે ગૃહમંત્રીને ખાસ પ્રતિનિધિ તરીકે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.જેથી ઘટનાની સંપૂર્ણ તપાસ થઈ શકે.
Also Read:
- SC, ST, OBC, વિદ્યાર્થીઓ અને કર્મચારી પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસ કરવામાં આવ્યા છે, એ તમામ કેસો પરત લેવામાં આવે: Chaitar Vasava AAP
- Surat: યુપીમાંથી બે વાર ધારાસભ્યની ચૂંટણીને વાર હારી ગયો, પછી ઠગ બન્યો; 25,000 ચોરી કરતો સીસીટીવીમાં થયો કેદ
- બિહાર અને બંગાળ કરતાં Gujaratમાં વધુ મત કપાયા, પીએમ મોદી-શાહના રાજ્યમાં સૌથી વધુ ક્યાં ચાલી SIR ની કાતર
- Ahmedabad: શિયાળામાં બેઘર લોકોને મળે છે આશ્રય, મ્યુનિસિપલ કોર્પોરેશન 8,431 લોકોને આશ્રય ગૃહોમાં લઈ જવાયા
- Ahmedabad: મહાનગરપાલિકાના ઝોન વાઇઝ પાર્કિંગ બની કારગર, ટ્રાફિક સમસ્યામાંથી મળી રાહત




