Vadodara : વડોદરા પોલીસે ઘૂસણખોરો સામે સતત ચોથે દિવસે ઝુંબેશ જારી રાખી છે અને આજે વધુ ૫૦ શકમંદોને તપાસ્યા હતા.તો બીજીતરફ પકડાયેલા ૧૪ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ નહિ કરાય ત્યાં સુધી વડોદરા પોલીસ નજરકેદમાં રાખશે.
વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૭૫૦ જેટલા શકમંદોની તપાસ કરવામાં આવી છે.જે પૈકી ૧૪ જણા પાસેથી બાંગ્લાદેશના પુરાવા મળી આવતાં તેમને વડોદરા પોલીસના છ હંગામી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરે કહ્યું છે કે,તમામ ૧૪ બાંગ્લાદેશીઓની તમામ ડીટેલ,ફિંગર પ્રિન્ટ, ફોટોગ્રાફ્સ ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.આ ઉપરાંત બાકીના ૬૬ શકમંદો પાસેથી મળેલા પુરાવાની તેમના વતનમાં તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસની જુદીજુદી એજન્સીઓ મારફતે પકડાયેલા બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવ્યા અને વડોદરામાં આવવાનો ઇરાદો શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો..
- પહલગામ હુમલાના પીડિતોએ ‘Operation Sindoor’ ને ગણાવ્યો ન્યાય, PM મોદી અને સેનાનો માન્યો આભાર
- Gujaratમાં 3 દિવસ વરસાદની ચેતવણી, હવામન વિભાગે એ 12-13 મે માટે જાહેર કરી અપડેટ
- Ahmedabad: વાસણા બેરેજના દરવાજાઓનું કરવામાં આવશે સમારકામ, Sabarmati નદીને સફાઈ માટે કરાવવામાં આવી ખાલી
- CBSE ધોરણ 10, 12 ના પરિણામો 2025 આજે જાહેર થવાની અપેક્ષા છે: આ રીતે તપાસો
- Gujaratમાં નમો શ્રી યોજના હેઠળ 6 લાખ મહિલાઓએ નોંધણી કરાવી, આ છે તેના ફાયદા