Vadodara : વડોદરા પોલીસે ઘૂસણખોરો સામે સતત ચોથે દિવસે ઝુંબેશ જારી રાખી છે અને આજે વધુ ૫૦ શકમંદોને તપાસ્યા હતા.તો બીજીતરફ પકડાયેલા ૧૪ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ નહિ કરાય ત્યાં સુધી વડોદરા પોલીસ નજરકેદમાં રાખશે.
વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૭૫૦ જેટલા શકમંદોની તપાસ કરવામાં આવી છે.જે પૈકી ૧૪ જણા પાસેથી બાંગ્લાદેશના પુરાવા મળી આવતાં તેમને વડોદરા પોલીસના છ હંગામી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરે કહ્યું છે કે,તમામ ૧૪ બાંગ્લાદેશીઓની તમામ ડીટેલ,ફિંગર પ્રિન્ટ, ફોટોગ્રાફ્સ ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.આ ઉપરાંત બાકીના ૬૬ શકમંદો પાસેથી મળેલા પુરાવાની તેમના વતનમાં તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસની જુદીજુદી એજન્સીઓ મારફતે પકડાયેલા બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવ્યા અને વડોદરામાં આવવાનો ઇરાદો શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો..
- Shefali jariwala: શેફાલી જરીવાલાના મૃત્યુ પહેલા ઘરમાં પૂજા ચાલી રહી હતી? હિન્દુસ્તાની ભાઉએ ઘરની સ્થિતિ જણાવી
- Amarnath Yatra: 1 જુલાઈથી અમરનાથ યાત્રાની ઓફલાઇન નોંધણી શરૂ
- Mahesana:દૂધસાગર ડેરીના વડાએ બોર્ડ મીટિંગ દરમિયાન ડેપ્યુટીને થપ્પડ મારતાં રાજકારણ ગરમાયું
- The Family Man 3 ની સત્તાવાર જાહેરાત, શાનદાર ટીઝર રિલીઝ
- Gujarat: કચ્છમાં સગીર છોકરીનું અપહરણ કરી બે પુરુષોએ આચર્યુ દુષ્કર્મ, આરોપીની ધરપકડ