Vadodara : શહેરમાં દરજીપુરામાંથી ગત સાતમી તારીખે ગુમ થયેલા દિપેન પટેલની હત્યા કરાઈ હતી. આ હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાંખ્યો છે. દિપેન પટેલના મિત્ર અને RTO એજન્ટ હાર્દિક પ્રજાપતિએ પ્રેમ પ્રકરણમાં દિપેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દિપેન પટેલ ગુમ થયા બાદ તેનો મૃતદેહ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. આરોપીએ હત્યા માટે મરચાની ભૂકી-કટરની ખરીદી કરી હતી અને ત્યાર બાદ કટરના ઘા મારી દિપેન પટેલની હત્યા કરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના દરજીપુરા વિસ્તારમાં ગત સાતમી તારીખે દિપેન પટેલ નામનો યુવક ગુમ થયો હતો. તેના ગુમ થયાના પાંચ દિવસ બાદ તેનો મૃતદેહ કાલોલની નર્મદા કેનાલ ખાતેથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસને ઉકેલી નાંખ્યો છે. દિપેન પટેલની હત્યા તેના મિત્ર અને RTO એજન્ટ હાર્દિક પ્રજાપતિએ કરી હોવાનું ખુલ્યું છે. હાર્દિકે પ્રેમ પ્રકરણમા દિપેનનું ઢીમ ઢાળી દીધું છે. દિપેનને મારી નાંખવા માટે હાર્દિકે મરચાની ભૂકી અને કટર ખરીદી હતી. ત્યાર બાદ દિપેનને કેનાલ પાસેજ કટરના ઘા મારીને રહેંસી નાંખી તેની લાશને નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી.
મરચાની ભૂકી અને ધારદાર કટર ખરીદી હતી
આરોપીએ દિપેનની કાર અનગઢ ગામ પાસે મહિસાગર નદીમાં ઉતારી દીધી હતી. પોલીસની તપાસમાં કાલોલની કેનાલમાંથી ડિકમ્પોઝ થયેલી હાલતમાં દિપેનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકા ના જાય તે માટે હાર્દિક પ્રજાપતિ તેની શોધખોળ કરવા માટે પરિવાર સાથે ફરતો હતો. હાર્દિકે દિપેનનું કાસળ કાઢી નાંખવા માટે એક મહિના પહેલા જ તૈયારીઓ કરી હતી. તેણે મરચાની ભૂકી અને ધારદાર કટર ખરીદી હતી. આ કટરથી જ તેણે દિપેનની હત્યા કરી નાંખી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાર્દિકની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો..
- delhi: જંતર-મંતર પર ફરી હોબાળો; વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો; 2 ACP સહિત 5 ઘાયલ
- oil: ખાદ્ય તેલ સરકારના બિલને આગળ ધપાવશે; સરકારી તિજોરીમાંથી ₹1.75 લાખ કરોડ ખર્ચવામાં આવશે
- ajay devgan: “ખરી સિંઘમ જંતર-મંતર પર બેઠો છે”; ફિલ્મ ‘સિંઘમ’ ની 15મી વર્ષગાંઠ વિશે પોસ્ટ કર્યા પછી અજય દેવગણ ટ્રોલ થયો
- Rahul gandhi: કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ પેપર લીક થયા; રાહુલ ગાંધી કેમ પસંદગીયુક્ત છે?
- Jaishankar: મનીલામાં જયશંકર-રુબિયો મંત્રણા: સંરક્ષણ અને પશ્ચિમ એશિયા પર ચર્ચા; વેપાર કરાર વિશે શું કહેવામાં આવ્યું?




