Vadodara : ભારતે એક તરફ મંગળવારની મધરાતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે એરસ્ટ્રાઈક કરી હતી અને બીજી તરફ મંગળવારે રાત્રે આખા દેશની જેમ વડોદરામાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવાની તૈયારીના ભાગરુપે રાત્રે 7.30 થી 8 દરમિયાન બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરામાં તંત્રે લોકોને આ સમયગાળા દરમિયાન લાઈટો બંધ રાખવા માટે અપીલ કરી હતી અને તેનું મોટાભાગના નાગરિકોએ દેશદાઝ બતાવીને પાલન કર્યું હતું. સોશિય મીડિયા પર પણ લોકોએ બ્લેક આઉટ રાખવા માટે અપીલ કરી હતી.જેના પગલે આખા શહેર પર અડધો કલાક માટે અંધારાની ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.આશ્ચર્યની વાત એ હતી કે, એરપોર્ટ સર્કલ પાસે કોર્પોરેશનના હોર્ડિંગની જ એલઈડી લાઈટ ચાલું જોવા મળી હતી.સંખ્યાબંધ જગ્યાએ બહુમાળી ઈમારતો પર લગાડાયેલા સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પરની લાઈટો પણ ચાલુ હતી.
સાઈરન વાગે અને સાયરન પૂરી થાય ત્યાં સુધી વાહન ચાલકોએ પણ રસ્તાની સાઈડ પર વાહન પાર્ક કરીને અને લાઈટ બંધ કરીને ઉભું રહી જવાનું હોય છે પણ બ્લેક આઉટ દરમિયાન શહેરમાં વાહનોની લાઈટો ભાગ્યે જ કોઈએ બંધ કરી હતી.શહેરમાં આજે 45 જગ્યાએ સાયરન વાગવાના હતા.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 1971ના યુધ્ધ વખતે બ્લેક આઉટનો અમલ કરાયો હતો અને આજના અંધારપટે જૂની પેઢીને એ દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી.
આ પણ વાંચો.
- MEA: ભારત ઈરાન અને ખાડી દેશો પર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલયે કહ્યું, “બધા પક્ષોએ સંયમ રાખવો જોઈએ; વર્તમાન પડકાર કેટલો મોટો છે?”
- Pakistan: જીતવા છતાં પાકિસ્તાન હારી ગયું, સેમિફાઇનલની દોડ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું; શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવામાં નિષ્ફળ
- Lucknow: ઈરાન હુમલાથી હવાઈ ટ્રાફિક પર સીધી અસર પડી; દુબઈનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, અને લખનૌથી 17 ફ્લાઇટ્સ રદ
- Dubai ના પામ જુમેરાહ પર ઈરાનનો મિસાઈલ હુમલો, બુર્જ ખલીફા ખાલી કરાવાયા
- Sanjay kapoor ની હજારો કરોડની સંપત્તિ પર કૌટુંબિક ઝઘડો: દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો, વસિયતનામા 10 માર્ચે ખુલશે





