Vadodara : લારી-ગલ્લા હટાવવા અંગે રજૂઆત કરવા આવેલા યૂથ કોંગ્રેસનાં કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સિક્યોરિટી જવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરો વચ્ચે પણ ઊગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી છે.
યૂથ કોંગ્રેસનાં કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ

આજે Vadodara : કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી. જો કે, આ દરમિયાન માહોલ ઊગ્ર બન્યો હતો. યુથ કોંગ્રેસનાં કેટલાક કાર્યકરો સભા દરમિયાન પહોંચ્યા હતા અને લારી-ગલ્લા હટાવવા અંગે રજૂઆત કરી હતી. માહિતી અનુસાર, સભામાં ઘૂસવાનો પ્રયાસ કરતા કાર્યકરો અને ભાજપનાં કોર્પોરેટરો વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી અને સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. જો કે, સિક્યોરિટી જવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
અમીબેન રાવતનાં નિવદેન બાદ માહોલ વધુ ઊગ્ર થયાનો આરોપ
બીજી તરફ ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે સભા ચાલુ થતા પહેલા ‘કામો કેમ મંજૂર કરાવી નાટક કર્યું’ તેમ કહેતા બબાલ થઈ હતી. ભાજપનાં સભ્યોએ પણ મેયર અને તમામ સભાસદોનું અપમાન ગણાવી હોબાળો મચાવ્યો હતો. અમીબેન રાવત પાસે શબ્દો પાછા લેવા માગ કરી હતી. ‘શબ્દો પાછા લો’ તેવા નારા ભાજપ કોર્પોરેટરોએ લગાવ્યા હતા.
આ પણ વાંચો..
- Corona: રોગચાળાના નિષ્ણાતના શબ્દો સાચા સાબિત થયા, સક્રિય કેસ ઘટવા લાગ્યા; પરંતુ હજુ પણ આ ધ્યાનમાં રાખો
- Indonesia: ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો, ચેતવણી જારી
- Ravi Shashtri: આ બેટ્સમેનને ત્રીજા નંબર પર રમતા જોવા માંગે છે, ટીમ કોમ્બિનેશન પર પોતાનો અભિપ્રાય આપ્યો
- Irani actress: 90 લાખ લોકો ક્યાં જશે? ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાની અભિનેત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કર્યો
- Lord Jagannath: મોટી આંખો અને અધૂરું શરીર, ભગવાન જગન્નાથની મૂર્તિ આટલી અલગ કેમ છે?