Rajkotથી કૌશલસિંઘ સોલંકીનો રીપોર્ટ
Rajkot : જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનની ઓફીસ, ખાતે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની અધ્યક્ષતામાં તાલુકા ડી.વાય.એસ.પી. રોહિત ડોડીયાના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ પરમાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ 65,53,000/- ની કિંમતનો મુદામાલ અરજદાર/ફરિયાદી ને પરત અપાવવામાં પોલીસે મદદ કરી છે.
સદરહુ કાર્યક્રમમાં જેતપુર શહેરના વેપારીઓ-નાગરીકોના માલસામાનની ચોરી-લુંટના બનાવ બાદ પોલીસ વિભાગ દ્વારા ખુબ જ ચપળતાથી ગુનાનો ભેદ ઉકેલીને માનવતાવાદી અભિગમ અપનાવી તમામ વ્યક્તિઓને ચોરી-લુંટ થયેલી ચીજવસ્તુઓ પરત અર્પણ કરેલ હતી.
જીલ્લા એસ.પી. હિમકરસિંહ કાર્યક્રમમાં હાજર રહેલા સર્વે કારખાનેદાર-વેપારીઓને જણાવ્યુ હતું કે પોલીસ હંમેશા નાગરીકોની સેવા કરવા તત્પર હોય છે. અને દરેક નાગરીકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ગુનેગારોની સામે ફરીયાદ કરવી જોઈએ. અને પોલીસ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે.
આ પણ વાંચો..
- Thar: થાર રણમાંથી ભારત માટે સારા સમાચાર, ક્રૂડ ઓઇલ ઉત્પાદને બધા રેકોર્ડ તોડી નાખ્યા!
- Kejriwal: દારૂ નીતિ કેસ: કેજરીવાલ કાલે હાઈકોર્ટમાં પોતાનો કેસ રજૂ કરીને પોતાનો કેસ રજૂ કરશે
- pm modi: ‘કટ, કમિશન અને ભ્રષ્ટાચારને કારણે પશ્ચિમ બંગાળ મુશ્કેલીમાં’: કૂચ બિહારમાં પીએમ મોદી ટીએમસી પર પ્રહારો કરે છે; તેમના પાપો માટે તેમને જવાબદાર ઠેરવવાની પ્રતિજ્ઞા લે છે
- trump: ‘પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે એક સાથે થશે’: ટ્રમ્પ મંગળવાર માટે શું આયોજન કરી રહ્યા છે? ઈરાન માટે ગંભીર ધમકી આપે છે
- ukraine: પશ્ચિમ એશિયા કટોકટીથી વિશ્વનું ધ્યાન યુક્રેન યુદ્ધથી ભટકાયું; યુક્રેનિયન રાષ્ટ્રપતિ પરિણામોથી ડરે છે





