Jamnagar : તળાવની પાળ પર જુની આરટીઓ કચેરી પાસેના ભાગમાં કેટલીક રેકડીઓ વર્ષોથી ઊભી રહે છે, જે રેકડીઓને દૂર કરાવી દેવાતાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેઓને સાથે રાખીને આજે મ્યુનિ. કમિશનર કચેરીના દ્વારે ધરણા કર્યા છે. જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે.

કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આજે બપોરે મ્યુનિ. કમિશનરને મળવા માટે ગયા હતા, પરંતુ કમિશનરે મળવાનો સમય નહીં આપતાં તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી, અને રેકડી ધારકોની સાથે કમિશનર કાર્યાલય ના દ્વારે ધરણા પર બેસી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું છે.

દરમિયાન સીટી એ ડિવિઝનના પીઆઇ એન એ ચાવડા મહિલા પોલીસની ટીમ સાથે મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમયે ભારે ગરમા ગરમી થઈ હતી.
આ પણ વાંચો..
- amir khan: શું આમિર ખાન સુપરહીરો બનશે? જૂના મિત્ર સાથે જોડાણ; દિગ્દર્શક નક્કી થયા
- BRICSની એક પ્રભાવશાળી તસવીર: વૈશ્વિક GDPના 22% હિસ્સો ધરાવતા ત્રણ દેશોના નેતાઓ એક ફ્રેમમાં; વડાપ્રધાને તસવીર શેર કરી
- preity zinta: અભિનેત્રી પોતાની જ ફિલ્મો જોવાનું કેમ ટાળે છે? તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે
- jasprit bumrah: શું આપણે જસપ્રીત બુમરાહની બોલિંગની નવી શૈલી જોઈશું? ઈજામાંથી પરત ફર્યા બાદ તેણે એક મોટો ફેરફાર કર્યો છે
- brics: જો ઝેલેન્સ્કી પુતિનને મળવા માંગતા હોય, તો તેઓ ગમે ત્યારે મોસ્કો આવી શકે છે… રશિયાનો યુક્રેનિયન રાષ્ટ્રપતિને જવાબ




