Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- Sri Ramayana Yatra : રામ ભક્તો માટે ખાસ તક, 30 થી વધુ તીર્થ સ્થળો માટે ખાસ ટ્રેનો
- Shubman Gill નું શાનદાર ફોર્મ ચાલુ, સતત સદી ફટકારી, સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો
- Kapil Sharma એ 63 દિવસમાં 11 કિલો વજન ઘટાડ્યું, ફિટનેસ કોચે જણાવ્યું રહસ્ય, જાણો આ ખાસ ફોર્મ્યુલા
- Jasprit Bumrah: મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહ સાથે નબળા પડી ગયા, ચોંકાવનારી હકીકત જાણો
- BRICS: કોઈ નિવેદન નહીં, કોઈ ફોટો નહીં, બ્રિક્સમાંથી પણ ગાયબ… શી જિનપિંગ ક્યાં ગાયબ થઈ ગયા?