Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- Junagadh: રાત્રિનો સમય, વરસાદ અને… અચાનક રસ્તા પર 6 સિંહો આવી ગયા
- Navsari કોંગ્રેસનો મોંઘવારી વિરોધ, ત્રણ કલાકમાં 1,500 કિલો ખાંડ વેચાઈ
- Ahmedabad સિવિલમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિર, એક જ દિવસે 115 યુનિટ થયું રક્તદાન
- Suratમાં નકલી ડોકટરો સામે મોટી કાર્યવાહી, 12મું ધોરણ પાસ વ્યક્તિઓ કરતા હતા દર્દીઓની સારવાર; 8ની ધરપકડ
- Ahmedabad: સાયબર ક્રાઈમ સામે મોટી પહેલ, ગુનાઓની ડિજિટલ તપાસ માટે ATS અને IIT ગાંધીનગરે મિલાવ્યા હાથ




