Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- Ahmedabad: AMCનો થાંભલાને ધાબામાં ચણી લીધો, કાઉન્સિલરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, તંત્ર સામે ઉઠ્યાં સવાલ
- Ahmedabad: અમદાવાદવાસીઓ સાવધાન! AMCના દરોડામાં 27 ખાદ્ય નમૂનાઓ ખામીયુક્ત મળ્યા, 3 યુનિટ સીલ કરાયા
- Valsad News: દમણથી વડોદરા જઈ રહેલી કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા.
- Gold and silver price update: અમેરિકાના આ નિર્ણયને કારણે ચાંદીના ભાવમાં 9,000 રૂપિયાનો વધારો થયો! સોનાના ભાવમાં પણ વધઘટ જોવા મળી
- Surendranagar: પંચાયત તલાટીઓએ સરકારને ધમકી આપી, મહેસૂલ સહિત વધારાની પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરી




