Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- Sports News: હાર્દિક પંડ્યા વિવાદમાં ફસાયો! મહારાષ્ટ્ર પછી હવે ઉત્તર પ્રદેશમાં ફરિયાદ દાખલ
- Chhota Udaipur: શાકભાજી નીચે છુપાયેલો હતો દારૂ! મધ્યપ્રદેશના વડોદરા લઈ જવામાં આવી રહેલ બોડેલી નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો
- Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા સામે NSUIનો વિરોધ, સિનિયર ક્લાર્કની ભરતીમાં અનિયમિતતાની ફરિયાદ
- Ahmedabad: ગેસ સિલિન્ડરની અછતને કારણે મણિનગરમાં આવેલ સ્વામિનારાયણ રેસ્ટોરન્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરાયું
- Panchmahal: કડાણા ડેમથી વિસ્થાપિત થયેલા લોકો માટે જમીન ખાલી કરાવવા વહીવટી કાર્યવાહી, બામરોલીમાં 50 વિરોધીઓને નોટિસ ફટકારવામાં આવી





