Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- Ahmedabadમાં ઢોસા ખાધા પછી બે માસૂમ છોકરીઓના મોત; માતા-પિતાની હાલત ગંભીર
- Surat: ક્યારેક મજૂર, ક્યારેક ડ્રાઇવર બનતો… 16 વર્ષ પહેલા લાખો રૂપિયા ચોરીને ભાગી ગયો હતો, ચોરની કેવી રીતે ધરપકડ થઈ?
- Gujarat Weather: રાજ્યમાં ફરી એકવાર માવઠાનો માર! વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર CM Bhupendra Patelએ કહ્યું કે, આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે
- કોઈપણ પ્રકારના ઓર્ડર વગર અધિકારીઓ AAPના બેનર ઉતારતા હતા: Rahul Bhuva AAP





