Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- ‘Hera Pheri 3’ માં બાબુ રાવ પરત ફર્યા, અક્ષય કુમાર સાથેનો મામલો થાળે પડ્યો, પરેશ રાવલે અફવાઓ પર મૌન તોડ્યું
- Anant Ambani ને રિલાયન્સ તરફથી આટલા કરોડનો પગાર મળશે, નફા પર કમિશન સહિત આ ભથ્થાં પણ મળશે
- Ahmedabad plane crashની દરેક દ્રષ્ટિએ તપાસ કરવામાં આવી રહી છે; મંત્રી મુરલીધર મોહોલે કહ્યું- બ્લેક બોક્સ વિદેશ જશે નહીં
- Air India: ટોક્યોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, કોલકાતા વાળવામાં આવી
- Tanzania: બે બસો અથડાયા બાદ આગ લાગી, 37 લોકોના મોત, 30 ઘાયલ; રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો