Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- Bangladeshના યુનુસે રોહિંગ્યા શરણાર્થીઓના બહાને નેધરલેન્ડ્સ પાસેથી 50 મિલિયન રૂપિયા લીધા
- Gujarat: પહેલી વાર, NRI અને વિદેશી નાગરિકો ભારતીય ઇક્વિટીમાં $500 જેટલા ઓછા ખર્ચે રોકાણ કરી કરશે
- Pope Leoએ ટ્રમ્પની નીતિઓ અને ચીન વિશે વાત કરી, જેમાં જાતીય શોષણ કૌભાંડ અને LGBTQ+ મુદ્દાઓનો સમાવેશ થાય છે
- Gujarat માં અત્યારસુધીમાં સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો, કચ્છ પ્રદેશમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ વરસ્યો
- Neeraj Chopra અને અરશદ નદીમ હારી ગયા, સચિન યાદવ 40 સેન્ટિમીટરથી મેડલ ચૂકી ગયો