Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- Ceasefire violation: ટ્રમ્પ કાર્ડ કામ ન આવ્યું, પાકિસ્તાની સેનાએ 4 કલાકમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો
- Monsoon: આ વર્ષે ચોમાસુ કેરળમાં ચાર દિવસ વહેલું આવી શકે છે, સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા
- Operation sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો, ઓપરેશન સિંદૂરનો બીજો વીડિયો જાહેર કર્યો
- Us-Pakistan: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે યુએસ હાઈ કમિશનરે સ્ટાફની અવરજવર અટકાવી
- તણાવ વચ્ચે mehbuba muftiએ અમેરિકા-પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો, ભારત સરકારને કહી આ મોટી વાત