Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- Trump: ઈરાનમાં ૧૬૫ છોકરીઓના મોત માટે કોણ જવાબદાર?: તપાસ જૂથે ટ્રમ્પના દાવા પર સવાલ ઉઠાવ્યા, અમેરિકાને ઘેરવા માટે વીડિયો જાહેર કર્યો
- Pm Modi એ નેપાળને ફોન કર્યો: બાલેન્દ્ર શાહ અને આરએસપી પ્રમુખ લામિછાને સાથે વાત કરી; ઐતિહાસિક ચૂંટણી વિજય બદલ અભિનંદન આપ્યા
- market: ક્રૂડ ઓઇલના ભાવમાં આગ લાગી છે, બજારો તૂટી રહ્યા છે, અને સોના અને ચાંદીમાં ઉથલપાથલ છે; સમગ્ર કટોકટીને પાંચ પ્રશ્નોમાં સમજો
- Rehman: જો તે રામાયણ માટે સંગીત બનાવી રહ્યા છે, તો…” સલીમ મર્ચન્ટ એઆર રહેમાનના સાંપ્રદાયિક નિવેદન સાથે અસંમત
- srilanka: શ્રીલંકાના નિરાશાજનક વર્લ્ડ કપ પ્રદર્શન બાદ જયસૂર્યાએ રાજીનામું આપ્યું, ટીમને નવો કોચ મળ્યો





