Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- Gujaratમાં સારવારમાં બેદરકારીને કારણે પ્રિન્સિપાલનું મોત, હોસ્પિટલ મેનેજર અને નર્સ સહિત 3ની ધરપકડ
- Gujaratમાં ₹4.2 કરોડની GST છેતરપિંડી બદલ બે લોકોની ધરપકડ
- Horoscope: 12 મે ના રોજ મેષ થી મીન રાશિ માટે કેવો રહેશે દિવસ ? જાણો તમારું રાશિફળ
- ભારત UNSC માં પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરશે, નવા પુરાવા આપશે
- ‘જ્યારે આપણે પહેલગામના દર્દનાક ચિત્રો જોઈએ છીએ, પીડિત પરિવારોના આંસુ…’, ઓપરેશન સિંદૂર પર DGMO ઘાઈએ શું કહ્યું?