Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- Gujarat: સરકાર દ્વારા RTE હેઠળ 95,000 પ્રવેશનો દાવો કરાયો, પણ માત્ર 88,000 પ્રવેશ કન્ફર્મ થયા
- Dengue: ડેન્ગ્યુ સામે જંગ, રાજ્યની ૨૦ હજાર કરતાં વધુ આરોગ્યની ટીમો દ્વારા જૂન માસમાં 1.48 કરોડ ઘરોની તપાસ
- Gujaratમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા, કડીમાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ
- Gujaratના ગણદેવીમાં જોવા મળ્યો ચમત્કાર! વાહન નીચે આવી ગયા છતાં એક છોકરી જીવતી બહાર નીકળી
- Ahmedabad: નરોડામાં મિત્રએ કરી મિત્રની હત્યા, રાજસ્થાનથી ધરપકડ