Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- Yunusની સરકારે વધુ એક ઘૃણાસ્પદ કૃત્ય કર્યું, ભારતના પૂર્વોત્તરને બાંગ્લાદેશનો ભાગ બતાવ્યો, પાકિસ્તાનને નકશો ભેટમાં આપ્યો
- South Korea: દક્ષિણ કોરિયામાં લોકો શી જિનપિંગ અને ચીન સામે વિરોધ કરવા માટે રસ્તા પર કેમ ઉતર્યા?
- શરમજનક: Amreliમાં પૂર વચ્ચે મહિલાને JCB દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી, 50 ખેતમજૂરોને બચાવી લેવામાં આવ્યા
- Agniveer: વરદાન કે શાપ? MSU સર્વેક્ષણમાં 72% અગ્નિવીરોએ નોકરીના તણાવનો અહેવાલ આપ્યો, 52% ભવિષ્યની તકો વિશે ચિંતિત
- Crime news: દિલ્હીમાં ગર્લફ્રેન્ડ બની રાક્ષસ, ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે મળીને તેના લિવ-ઇન પાર્ટનરની કરી હત્યા





