Rajkot : ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન જોહુકમી ચલાવતા હોય તે પ્રમાણે તેમને તેમની ઓફિસની બહાર રજા સિવાય અંદર આવવું નહિ તેવા પ્રિન્ટેડ સ્ટીકર લગાવી દેવાતા પ્રજામાં રોષની લાગણી છવાઈ હતી. અને એવી ચર્ચા ચાલી હતી કે આમેય કામ સિવાય તો કોણ આવતું હોય કે આ રીતે સ્ટીકર લગાવવા પડે!
ભાયાવદર નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોની મનમાની ચાલી રહી હોય તે મુજબ તેમની ચેમ્બરની બહાર કાચના દરવાજા પર રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર ચોંટાડવામાં આવતા વિરોધ પક્ષના નયનભાઈ જીવાણીએ રોકડું પરખાવ્યું હતું કે આખા ગુજરાતમાં એક પણ પાલિકામાં તમને આવું જોવા નહીં મળે અને સરકારનો કોઈ આવો પરિપત્ર પણ ન હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધિશો તેમની મનમાની મુજબ ખોટી રીતે તેમની ચેમ્બરોમાં આવા ખોટા રજા સિવાય અંદર આવવું નહિ તેવા સ્ટીકર મારી દીધા છે અને અરજદારોને કોઈ પણ જાતના દાખલાઓ કાઢવાના હોય છે.
સત્તાધીશો દ્વારા પારદર્શી વહીવટી અને સૌનો સાથ સૌના વિકાસના બણગાં ફૂંકતા હોય, ત્યારે આ પ્રકારે મળવા માટે પણ મંજૂરીઓ લેવાના મનઘંડત નિયમો લાગુ કરી દેવાતા હવે નાગરીકોએ પોતે મત આપી જેને પ્રજાના વહીવટની બાગડોર આપી, તે વહીવટદારો હવે પ્રજા પર કાયદા વિરુદ્ધ જઈ ખોટા નિયમો લાગુ કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે રહેવાની બદલે બંધ ચેમ્બરમાં બેસીને નાગરીકોથી દૂર રહી વેપલા કરવાની ફિરાકમાં હોય તેવી પરીસ્થિતિ ઉભી કરી છે.
આ પણ વાંચો..
- Indian railway: નવા ટર્મિનલ, વધુ પ્લેટફોર્મ અને બમણી ટ્રેનો… 2030 સુધીમાં રેલવેનો મેગા પ્લાન: તેના ફાયદા જાણો
- Syriaમાં નમાજ દરમિયાન મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ, ઓછામાં ઓછા છ લોકોના મોત, 21 ઘાયલ
- Parineeti: કેટરિના, વિકી અને કિયારા, સિદ્ધાર્થ પછી, આ દંપતીએ તેમના પુત્ર સાથે તેમનો પહેલો નાતાલ ઉજવ્યો, એક ઝલક શેર કરી
- Russiaએ યુક્રેનિયન યુદ્ધ શરૂ થયા પછી તેની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કર્યો છે, શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદનમાં 22 ગણો વધારો કર્યો
- Shefali verma: ભારતનો સતત ત્રીજો વિજય, શેફાલી વર્માનો તોફાની વિજય શ્રીલંકાને હાર





