Rajkot : ઇન્દુબેન કસરેજા રિક્ષામાં બેસી રસોડાના કામ માટે જતા હતા, આશ્ચર્યજનક રીતે ડમ્પર વાળો અકસ્માત સર્જી ભાગી છૂટ્યો, સાથે રીક્ષા ચાલક પણ રીક્ષા લઈ નાસી ગયો
આજીડેમ નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ડમ્પરે રીક્ષાને હડફેટ લેતા વેલનાથ સોસાયટીના ઇન્દુબેન વિનુભાઈ કસરેજા(ઉં. વ.49)નું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ઇન્દુબેન વિનુભાઈ કસરેજા (ઉંમર વર્ષ 49, રહે. રણુજા મંદિર સામે, વેલનાથ સોસાયટી શેરી નંબર 3) આજે સવારે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે આજી જીઆઇડીસીથી આજીડેમ ચોકડી વચ્ચે હાઇવે પર કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી.જેમાં ઇન્દુબેનને ગંભીર ઈજા થઈ હતી. તેમને સૌપ્રથમ નક્ષ કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. તેમના પરિવારજનોએ જણાવ્યા મુજબ ઇન્દુબેનને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમના પતિ મંડપ સર્વિસનું કામ કરે છે.
આ પણ વાંચો..
- National doctors day: આરોગ્યલક્ષી સેવાઓ હવે એકસાથે ઉપલબ્ધ, મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું કર્યું લોકાર્પણ
- પાકિસ્તાન એક મહિના માટે United Nations સુરક્ષા પરિષદનું પ્રમુખ બન્યું, કહ્યું – પારદર્શક રીતે કામ કરશે
- Delhi Government : હવે આ મહિને દિલ્હીમાં કૃત્રિમ વરસાદ નહીં થાય, જાણો આ પ્રોજેક્ટ કેમ મુલતવી રાખવામાં આવ્યો?
- સરકારે ₹૧.૦૭ લાખ કરોડની ELI યોજનાને મંજૂરી આપી, ૩.૫ કરોડ નોકરીઓ આપવાનું લક્ષ્ય, કર્મચારીઓને ₹૧૫,૦૦૦ ની પ્રોત્સાહન રકમ મળશે
- Cabinet એ રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે