Rajkot : ધોરાજી શહેરમાં ચોમાસાની ઋતુ પહેલા શહેરમાં પાણીના યોગ્ય નિકાલ માટે અને આયોજન માટે પ્રિ મોન્સુનની કામગીરી તાત્કાલીક શરૂ કરવી જોઈએ હાલમાં શહેરમાં ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટરો ઓવરફલો થઈ રોડ પર તેમના પાણી વહે છે ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો જામ થઈ ગયેલ છે.
ધોરાજી શહેરની ગટરો કચરાઓ અને માટીથી ભરાઈ ગયેલ હોય તાત્કાલિક તેની સાફ સફાઈ થવી જોઈએ અને મોટા વોકળા અને નદીઓની સાફ સફાઈના અભાવે યોગ્ય રીતે પાણીનો નિકાલ થતો નથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આયોજન બધ્ધ રીતે ભૂગર્ભ ગટરની ચેમ્બરોના ઢાંકણાઓ વ્યવસ્થિત કરવા જોઈએ.
ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી આયોજનબધ્ધ રીતે થાય તો ધોરાજીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય જેથી કરીને શહેરની જનતાને ચોમાસામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સોમનો કરવો પડે નહીં આ કામગીરી માટે ધોરાજી નગરપાલિકાએ તાત્કાલીક પગલા લઈ કામગીરી આયોજનબધ્ધ રીતે શરૂ કરવા સામાજીકમ અગ્રણી કાંતીલાલ સોંદરવાએ માંગણી કરી છે.
આ પણ વાંચો..
- અમદાવાદ ESIC હોસ્પિટલમાં લાંચકાંડ, નોકરીના નામે રૂપિયા લેતા 4ની ધરપકડ
- Gujaratમાં મોલ, દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે 24 કલાક ખુલ્લા રહેશે, ભાજપ સરકારે બિલ પસાર કર્યું
- Gujaratમાં મેસના પનીર કરીથી 200 વિદ્યાર્થીઓ બીમાર, ઉલટી-ઝાડાની ફરિયાદ
- Gujaratમાં એક વર્ષમાં 62 એશિયાઈ સિંહો અને તેમના બચ્ચાના મોત, વનમંત્રીએ જણાવ્યું કારણ?
- ભાડે મકાન લેતા-આપતા પહેલા જાણી લો નવા નિયમો, Gujaratમાં ‘ભાડા બિલ’ પાસ




