Rajkot : ધોરાજી શહેરમાં ચોમાસાની ઋતુ પહેલા શહેરમાં પાણીના યોગ્ય નિકાલ માટે અને આયોજન માટે પ્રિ મોન્સુનની કામગીરી તાત્કાલીક શરૂ કરવી જોઈએ હાલમાં શહેરમાં ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટરો ઓવરફલો થઈ રોડ પર તેમના પાણી વહે છે ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો જામ થઈ ગયેલ છે.
ધોરાજી શહેરની ગટરો કચરાઓ અને માટીથી ભરાઈ ગયેલ હોય તાત્કાલિક તેની સાફ સફાઈ થવી જોઈએ અને મોટા વોકળા અને નદીઓની સાફ સફાઈના અભાવે યોગ્ય રીતે પાણીનો નિકાલ થતો નથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આયોજન બધ્ધ રીતે ભૂગર્ભ ગટરની ચેમ્બરોના ઢાંકણાઓ વ્યવસ્થિત કરવા જોઈએ.
ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી આયોજનબધ્ધ રીતે થાય તો ધોરાજીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય જેથી કરીને શહેરની જનતાને ચોમાસામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સોમનો કરવો પડે નહીં આ કામગીરી માટે ધોરાજી નગરપાલિકાએ તાત્કાલીક પગલા લઈ કામગીરી આયોજનબધ્ધ રીતે શરૂ કરવા સામાજીકમ અગ્રણી કાંતીલાલ સોંદરવાએ માંગણી કરી છે.
આ પણ વાંચો..
- ‘જો શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા પણ સાંભળે છે…’, RSS વડા મોહન ભાગવતે પાકિસ્તાન પર કહ્યું
- Mahakal mandir: મહાકાલ મંદિરમાં 2600 વર્ષ જૂની દરવાજા પરંપરા ફરી શરૂ થવા જઈ રહી છે
- RBI મહાત્મા ગાંધી શ્રેણીની 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, ગવર્નર Sanjay malhotra તેના પર હસ્તાક્ષર કરશે
- ‘કોંગ્રેસમાં રહેવું’ અને ‘કોંગ્રેસનું હોવું’ વચ્ચે ફરક છે – જયરામ રમેશે સાંસદ shashi tharoorને કટાક્ષ કર્યો
- ૭૦ વર્ષની ઉંમરે kamal hasanની એક્શન, મણિરત્નમની ફિલ્મ ‘ઠગ લાઈફ’નું ટ્રેલર રિલીઝ