Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- ‘જો શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા પણ સાંભળે છે…’, RSS વડા મોહન ભાગવતે પાકિસ્તાન પર કહ્યું
- Mahakal mandir: મહાકાલ મંદિરમાં 2600 વર્ષ જૂની દરવાજા પરંપરા ફરી શરૂ થવા જઈ રહી છે
- RBI મહાત્મા ગાંધી શ્રેણીની 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, ગવર્નર Sanjay malhotra તેના પર હસ્તાક્ષર કરશે
- ‘કોંગ્રેસમાં રહેવું’ અને ‘કોંગ્રેસનું હોવું’ વચ્ચે ફરક છે – જયરામ રમેશે સાંસદ shashi tharoorને કટાક્ષ કર્યો
- ૭૦ વર્ષની ઉંમરે kamal hasanની એક્શન, મણિરત્નમની ફિલ્મ ‘ઠગ લાઈફ’નું ટ્રેલર રિલીઝ