Rajkot : જામકંડોરણા નજીક ફોફળ નદીને ખાલી કરી રહેલ ખનીજ માફિયા પર તંત્ર ત્રાટક્યું હતું અને, 2 લોડર, 5 ડમ્પર સહિત રૂ.1.05 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે અંગે ધોરાજી એએસપી સીમરન ભારદ્વાજ અને ટીમ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત કામગીરી કરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ભુમાફીયાઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી ધોરાજી વિભાગના એએસપી સિમરન ભારદ્વાજ અને રાજકોટ જીલ્લાના ભુસ્તરશાસ્ત્રી અંકીત ભટ્ટની સંયુક્ત બાતમીના આધારે જામકંડોરણાના લુણાગરા-ઇશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટમાં સર્ચ કરતા સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા વાહનો 02 લોડર તેમજ 05 ડમ્પરો મળી રૂ.1.05 કરોડનો મુદામાલ સીઝ કરી જામકંડોરણા પોલીસ મથક કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ છે. તેમજ આગળની વધુ કાર્યવાહી ખાણખનીજ વિભાગ દ્વારા ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે. માટી અને રેતી સહિતના ખનીજની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી છે. તેમજ સરકારને કરોડો રૂપિયાનુ નુકસાન કરાવાઈ રહ્યુ છે, તેવા સમયે આ કાર્યવાહીના કારણે ખનન માફીયાઓમાં ફફડાટ મચ્યો છે.
આ પણ વાંચો..
- MEA: ભારત ઈરાન અને ખાડી દેશો પર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલયે કહ્યું, “બધા પક્ષોએ સંયમ રાખવો જોઈએ; વર્તમાન પડકાર કેટલો મોટો છે?”
- Pakistan: જીતવા છતાં પાકિસ્તાન હારી ગયું, સેમિફાઇનલની દોડ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું; શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવામાં નિષ્ફળ
- Lucknow: ઈરાન હુમલાથી હવાઈ ટ્રાફિક પર સીધી અસર પડી; દુબઈનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, અને લખનૌથી 17 ફ્લાઇટ્સ રદ
- Dubai ના પામ જુમેરાહ પર ઈરાનનો મિસાઈલ હુમલો, બુર્જ ખલીફા ખાલી કરાવાયા
- Sanjay kapoor ની હજારો કરોડની સંપત્તિ પર કૌટુંબિક ઝઘડો: દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો, વસિયતનામા 10 માર્ચે ખુલશે





